Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આવા લોકો હોય છે ખૂબ જ આળસુ મહેનત કરવી બિલકુલ નથી ગમતી જાણો તમારી રાશિ લિસ્ટમાં છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે તો કેટલાકને મહેનત કરવી બિલકુલ પસંદ નથી હોતી. આવા લોકો આળસથી ભરેલા હોય છે. આ લોકો આળસ અને સુસ્તીને કારણે નિષ્ફળતાના માર્ગે નીકળી પડે છે. તેમનામાં ભરેલી આળસ તેમને અસમર્થ બનાવે છે. આ આળસને કારણે વ્યક્તિનું તન, મન અને ધન બરબાદ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને અનેક નુકસાન સહન કરવા પડે છે. સંબંધોથી લઈને પૈસા વગેરેમાં પણ નુકસાન સહન કરવું પડે. વ્યક્તિની અંદર રહેલી પ્રતિભા પણ…

Read More

આ કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 40 હાજર સુધીનો વધારો આજે નિર્ણય થવાની સંભાવના કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી વધવા જઈ રહ્યું છે આખરે કેન્દ્રીય કર્મચારીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. હવે કર્મચારીઓના પગારમાં 40 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. આજે તે સ્પષ્ટ થઈ જશે કે કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની છે. એઆઇસીપીઆઇના અત્યાર સુધીના આંકડા અનુસાર 5 ટકા ડીએ વધારા પરથી પરદો ઉઠી ચુક્યો છે. પરંતુ આજે મે મહિનાના એઆઇસીપીઆઇ મોંઘવારી આંકડા આવવાના છે, જો આ અંકડા વધે છે તો સરકાર કર્મચારીઓના ભથ્થામાં 6 ટકા વધારાની જાહેરાત કરી શકે છે. કેટલું વધશે…

Read More

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા આજે પણ જાળવી રાખી દિલ્હીથી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલ્યો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ વડાપ્રધાને મોકલેલો પ્રસાદ લઈને મંદિર પહોંચ્યા આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીએ મોકલવેલો પ્રસાદ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિર આવ્યા હતા. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગન્નાથ મંદિરે રથયાત્રાના અગાઉના દિવસે…

Read More

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું પહેલા ક્રમે આવ્યું આંધ્રપ્રદેશ બીજા નંબર લાગ્યો ગુજરાતનો દેશમાં બિઝનેસ કરવા મામલે ગુજરાતનો દબદબો વધતો જાય છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બિઝનેસનો ખૂબ સાનુકૂળ માહોલ સર્જાયો છે અને સતત તેનું પ્રદર્શન સારુ બની રહ્યું છે. 2019ના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત 10મા ક્રમે હતું પરંતુ 2020ના રેન્કીંગમાં ગુજરાત સીધું 2જા નંબરે આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું છે. આમાં આંધ્રપ્રદેશ રાજ્યને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (કેન્દ્રશાસિત પ્રદેશો)ની રેન્કિંગ નક્કી કરવામાં…

Read More

NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવી આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે NCAP લગભગ દરેક કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટ કરે છે ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. આ લિસ્ટ જૂન 2022 સુધી આવનાર 35 મોડલની છે. એટલે કે ગ્લોબલ NCAPએ 35 મેડ-ઇન ઈન્ડિયા કારની ક્રેશ લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ એવા છે જેને 5 સ્ટાર્ટ સેફટી રેટિંગ મળી છે, જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે. એવામાં જો…

Read More

દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો રાજ્યપાલના હસ્તે કાફેની કરાઇ શરૂઆત જુનાગઢમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થઇ રહ્યો છે. 30 જુનના એટલે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ કાફેનો પ્રારંભ થશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનાગઢમાં દેશનું સર્વ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન શરુ કર્યું છે. તેના ભાગરૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે. આ કાફેમાં પ્રાકૃતિક નાસ્તો અને ભોજન મળશે. આ સાથે અહીં માટીના બનાવેલા વાસણોનું પણ વેચાણ થશે.…

Read More

Noise Nerve Pro નેકબેન્ડ લોન્ચ એકવાર ચાર્જ કર્યા પછી સતત 35 કલાકનો લીસ્ટન ટાઈમ ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજી Noise Nerve Pro નેકબેન્ડ સ્ટાઇલના વાયરલેસ ઇયરફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ પર પોતાનો નોઇસ નર્વ પ્રો 899 રૂપિયાની શરૂઆતી કિંમતે વેચાણ ચાલુ કર્યું છે. જયારે આ પ્રોડક્ટની ઓરીજીનલ ભાવ 2799 છે. જે હવે તમને ફ્લિપકાર્ટ પર 1199 માં મળી રહી છે. ગ્રાહકો આ નોઇઝ નેકબેન્ડ ઇયરફોનને સાયન બ્લૂ, નિયોન ગ્રીન અને જેટ બ્લેક કલરમાં ખરીદી શકે છે. તેઓ ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે આ વાયરલેસ…

Read More

એકનાથ શિંદેબનશે મુખ્યમંત્રી સાંજે સાત વાગ્યે લેશે સીએમ પદના શપથ દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યમાં હવે ભાજપના ફડણવીસ નહીં પરંતુ શિવસેનાના જ બાગી નેતા એકનાથ શિંદે જ સીએમ પદ ગ્રહણ કરશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ આજે જ સાંજે 7.30 વાગ્યે થશે. એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ફડણવીસે કહ્યું કે સરકારના લોકો પર દાઉદ સાથે કનેક્શનનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આવી ગેરમાર્ગે દોરાયેલી સરકારને આજે દૂર કરવામાં આવી છે. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય કટોકટી…

Read More

36 વર્ષ બાદ ફાસ્ટ બોલરને મળી ટીમ ઈન્ડિયાની કમાન બુમરાહ પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે રોહિત શર્માને કોરોના થતા, બુમરાહને તક મળી કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થઈ રહેલી બર્મિંગહામ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. બુમરાહ તેની કારકિર્દીમાં પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરશે. બુધવારે રોહિતનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. આ પહેલા હાર્દિક પંડ્યાને ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું સુકાન અપાયું હતું. જેણે સીરીઝમાં વિજય અપાવ્યો હતો. કપિલ દેવ બાદ બુમરાહ ભારતનો બીજો ફાસ્ટર કેપ્ટન હશે. કપિલે છેલ્લે સપ્ટેમ્બર…

Read More

નોનીના ડેપ્યુટી કમિશનરે એડવાઈઝરી જાહેર કરી ટુપુલ યાર્ડ રેલ્વે કન્સ્ટ્રક્શન કેમ્પમાં ભૂસ્ખલનને કારણે 50 થી વધુ લોકો દટાયા રેલવે લાઇનના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી બુધવાર રાતથી અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી સામાન્ય લોકોની સાથે પ્રાદેશિક સૈન્યના 50 થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના ટુપુલ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ઈજેઈ નદીનો પ્રવાહ પણ અવરોધિત થયો છે, જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં  એક જળાશય બની જવા પામ્યુ  છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે…

Read More