Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અમદાવાદની સ્કૂલમાં ફરીવાર કોરોનાએ માથું ઉચકયું ઉદગમ સ્કૂલના 9 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા રાજ્યમાં ગત રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 351 કેસ એક તરફ ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા હતાં. જ્યારે 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સતત 12માં દિવસે શૂન્ય મોત નોંધાયું હતું જ્યારે એક્ટિવ કેસનો આંક 2500ને પાર પહોંચી ગયો છે એવામાં સૌથી વધુ 158 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે શહેરમાં અમદાવાદની ઉદગમ સ્કૂલમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે. ઉદગમ સ્કૂલના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. ધોરણ 7ના…

Read More

દરિયામાં લો-પ્રેશર સર્જાવાથી પવનની ગતિ વધવાની શક્યતા રાજ્યના 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ રહેશે.હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. ત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં…

Read More

મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત ધરાશાયી કાટમાળમાં 20-25 લોકો દટાયા હોવાની શક્યતા છે અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની…

Read More

1 જુલાઈથી બદલાઈ જશે આ નિયમો ગ્રાહકોને મંજૂરી વગર ક્રેડિટ કાર્ટ નહીં આપી શકે બેન્ક જાણો શું છે નિયમોમાં ફેરફાર કોઈ પણ બેન્ક અથવા ક્રેડિટ કંપની પોતાની મરજીથી કોઈ ગ્રાહકને ક્રેડિટ કાર્ટ ન આપી શકે. જો ગ્રાહકની સહમતિ વગર કોઈ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવે છે તો આ કાર્ડને અપગ્રેડ કરવામાં આવે છે અને તે નિયમનોનું ઉલ્લંધન માનવામાં આવે છે. RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોને અપડેટ કર્યા છે. આ નવું અપડેટ 1 જુલાઈથી લાગુ થશે. નવા ફેરફારમાં સૌથી ખાસ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઈકલ અને ક્રેડિટ કાર્ડને બંધ કરવાના નિયમ છે. બિલિંગ સાયકલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાને…

Read More

જો અચાનક તમારું વજન ઘટી રહ્યું છે તો સાવચેત રહેજો વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે એક સ્તર પછી સુગર વધે ત્યારે વજન ઘવાનું ચાલુ થઇ જાય છે આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના વધતા વજનથી પરેશાન રહે છે, તેથી તેઓ વજન ઘટાડવા માટે કંઇક ને કંઇક કરતા રહે છે. પરંતુ જો તમારે કશું પણ કર્યા વિના તમારું વજન ઘટવાનું શરુ થઇ ગયું છે, તો તમે ખુશ થઈ જશો. પરંતુ જ્યારે આવું થાય છે, ત્યારે તમારે ખુશ થવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવાની જરૂર છે. કારણ કઈ કર્યા વગર સતત વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે…

Read More

આજે વૃદ્ધિ યોગમાં અમાસ ઉજવાશે પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે સમૃદ્ધિ માટે દેવી અન્નપૂર્ણા અને હળની પૂજા કરવામાં આવશે જેઠ મહિનાની અમાસ આ વર્ષે 28 અને 29 જૂન એટલે બે દિવસ રહેશે. આવું ક્યારેક જ થાય છે, જ્યારે એક તિથિ બે દિવસ હોય અને તેના બંને જ દિવસે કોઈ ખાસ પર્વ કે કોઈ શુભ યોગનો સંયોગ હોય. પહેલાં દિવસે મંગળવારે એટલે આજે હલહારિણી અને બીજા દિવસે બુધવારે સ્નાન-દાન અમાસ રહેશે. આ અમાવસ્યા ખેડૂતો માટે શુભ દિવસ છે. પાકની વાવણી માટે આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ રીતે આ દિવસ ખેડૂતો માટે નવી સિઝનની શરૂઆતનો તહેવાર…

Read More

Hyundai અને Creta જેવી SUV સાથે ટક્કર થશે 36 વેરિએન્ટમાં જોવા મળશે 2022 મહિન્દ્રા સ્કોર્પિયો N ટિઝરમાં કંઈક આ પ્રકારની દેખાય છે મહિન્દ્રા સ્કોર્પિયો N મહિન્દ્રા પોતાની ન્યૂ સ્કોર્પિયો આજે એટલે કે 27 જૂનના રોજ લોન્ચ થશે. કંપનીએ આ વાતની માહિતી ટ્વિટરના માધ્યમથી આપી હતી. આ ટ્વીટ મુજબ આજે સાંજે 5:30 વાગ્યે આ કાર લોન્ચ થશે. આ કારના ટિઝરમાં SUVનું એક્સટીરિયર અને તેમાં લાગેલા ઈફોટેનમેન્ટ સિસ્ટમનો ફોટો દેખાઈ રહ્યો છે. SUVના ટિઝર સાથે #BigDaddyOfSUVs હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2022 મહિન્દ્રા સ્કોર્પિયો N 5 ટ્રિમ્સ – Z2, Z4, Z6, Z8L અને કુલ 36 વેરિએન્ટમાં જોવા મળશે. આ સિવાય ડિઝલ વર્ઝન…

Read More

હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ અલગ જ રાખે છે વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા. નાનપણના દિવસો યાદ કરતા હોય તે રીતે વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી સતત કોઈકને કોઈક કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હર્ષ સંઘવી આજે સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન પોતાના મતવિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. મોર્નિંગ વોક કરવા દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા.  તેમજ આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા.હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ…

Read More

સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળવાની મનાઈ છે આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે આવા નિયમો ઘડીને સ્કૂલ અમારાં બાળકોને રોબો જેવાં બનાવી રહી છે. ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટરની આ છે મોસ્લી હૉલિન્સ હાઈ સ્કૂલ કે જેમાં ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે શારીરિક સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળી બાથ ભરવા પર પ્રતિબંધ છે. શારીરિક સંપર્ક ન કરવાના નિયમ મુજબ સ્ટુડન્ટે અન્ય સ્ટુડન્ટને ઊંચકવો, ગલીપચી કરવી કે લડાઈ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે . તેમજ આ નિયમને સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ તેમ જ નેટિઝન્સ દ્વારા પણ ઘણો કઠોર ગણાવીને વખોડી કાઢવામાં…

Read More

વડોદરાના આ 6 સ્થળો છે ફરવા માટેના બેસ્ટ ચોક્કસ એકવાર તો અહી મુલાકાત લેવી જોઈએ લક્ષ્મી વિલાસ પેલેસ છે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ વડોદરા ગુજરાતનું એક સુંદર શહેર છે. જો તમે પણ વડોદરા જવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને અહીં ફરવા માટેના ખાસ પર્યટન સ્થળો વિશે જણાવીએ છીએ. તેના સુવર્ણ ઇતિહાસ અને સુંદર મહેલોને કારણે આ શહેર વધુ સુંદર લાગે છે. તો ચાલો તમને વડોદરાના પ્રવાસે લઈ જઈએ. લક્ષ્મી વિલાસ પેલેસ – આ મહેલને લઈને દાવો કરવામાં આવે છે કે તે અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી રહેઠાણ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મહેલ બકિંગહામ પેલેસ કરતાં ચાર…

Read More