What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
શુક્રનું થશે રાશિ પરિવર્તન મિથુન રાશિમાં 13 જુલાઇએ કરશે પ્રવેશ 7 ઑગષ્ટ સુધી 3 રાશિના જાતકોને લાભ જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય, સૌભાગ્ય, સુંદરતા અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું સંક્રમણ 13 જુલાઈના રોજ સવારે 10.50 કલાકે થશે. 7 ઓગસ્ટ સુધી શુક્ર મિથુન રાશિમાં રહેશે. શુક્રનું પરિવર્તન અનેક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત અને ઉચ્ચ સ્થાનમાં હોય તો તેને દરેક કાર્યમાં સફળતા મળશે. જાણો કઈ રાશિના જાતકોને શુક્ર સંક્રમણનો લાભ મળશે. મિથુન- મિથુન રાશિના જાતકોને શુક્રના ગોચરને કારણે નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના છે. વિદેશ પ્રવાસની તક…
એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે પુત્રીનો જન્મ થતાં ઉત્સવ મનાવવામાં આવે છે મોટાભાગે દેશમાં પુરુષો (man)ની ઇચ્છા અનુસાર જ મહિલાઓ જીવન વિતાવતી હોય છે. લગ્ન બાદ સસરામાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતના બે રાજ્યોમાં એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને આસામમાં આ જનજાતિ રહે છે. ચાલો જાણીએ આ જનજાતિ વિશે રસપ્રદ વાતો.. મેઘાલય અને આસામમાં વસવાટ કરતી આ જનજાતિનું નામ ખાસી છે. આ જનજાતિમાં પુરુષોના સ્થાને મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે. આ જનજાતિમાં મહિલાઓનું…
મારુતિની સસ્તી કાર સામાન્ય લોકોના બજેટથી પણ આગળ નીકળી જશે કંપનીએ અલ્ટોના ત્રણ વેરિએન્ટને બંધ કર્યા LXi અને LXi CNG વેરિએન્ટ્સ બંધ કરવામાં આવી રહ્યા છે બજેટ ફ્રેન્ડલી કાર ખરીદવા માટે મારુતિ પહેલેથી જ લોકોની પસંદગી બનીને રહ્યું છે ત્યારે હાલ આ કંપનીએ એક એવો નિર્ણય લીધો છે, જે કદાચ ચાહકોને નિરાશ કરી શકે છે. મારુતિએ પોતાની બજેટ ફ્રેન્ડલી હેચબેક કારમાંની એક અલ્ટોના અમુક વેરિએન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એન્ટ્રી-લેવલ અલ્ટો હેચબેકમાંથી ત્રણ વેરિએન્ટને હટાવી દીધા છે. હવે CNG મોડેલમાં ફક્ત એક જ વિકલ્પ મળશે. બીજી તરફ મારુતિ પોતાનું K10 મોડેલ ફરીથી લાવવાની તૈયારીમાં છે, જેને BS6 આવવાના…
ભારે વરસાદને લઈને ક્યાંય ખુશી તો કયાક ગમ જેવો માહોલ એક મીની ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયું વરસાદને પગલે ગામમાંથી પસાર થતી નોલી નદી ગાંડીતૂર બની છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેહુલિયો મન મૂકીને હેત વરસાવી રહ્યો છે. જેને લઈને જૂનાગઢમા ધીંગી મેઘમહેર થઇ રહી છે. ભારે વરસાદને લઈને ક્યાંય ખુશી તો કયાક ગમ જેવો માહોલ સર્જાયો હતો. કેશોદના પ્રાસલી ગામે પુરમાં ટ્રેકટર તણાયું હતું જ્યારે આરેણા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા, વધુમાં વિલીંગ્ડન ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતી અને ઘોડા પાઈટ નદીમાં વરસાદને લઈને ઘોડાપૂર આવ્યું હતું. તો ભારે વરસાદને લઇને ગામડાઓમાં વીજળી વેરણ થઇ…
કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને સરકારનો મોટો નિર્ણય બૂસ્ટર ડોઝનો સમયગાળો ઘટાડ્યો હવે 18 વર્ષથી ઉપરના યુવાનો 6 મહિના બાદ લઈ શકશે બૂસ્ટર ડોઝ સરકારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે બુસ્ટર ડોઝ લેવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9ના બદલે 6 મહિના પછી જ લઈ શકાશે. જો તમે બીજો ડોઝ લીધો છે, તો તમારે હવે બૂસ્ટર ડોઝ માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના રાહ જોવી પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એવું જણાવ્યું કે 18 થી 59 વર્ષની વયના તમામ લોકોને હવે 9 મહિનાના બદલે છ મહિના પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)એ સરકારને આની ભલામણ કરી…
જે દેશમાં એક પણ હિન્દુ નથી ત્યાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું મંદિર Cambodiaમાં આવેલ છે વિશ્વનું સૌથી મોટું મંદિર મંદિરની વિષે માહિતી જાણી તમને થશે અચરજ ભારતમાં જ્યારે દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરની વાત કરીએ તો સામાન્ય રીતે તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 6 લાખ 31 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર નથી. દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પરંતુ એક એવા દેશમાં છે જ્યાં એક પણ હિન્દુ નથી. આ દેશનું નામ છે કમ્બોડિયા. આ મંદિરનું નામ છે અંકોરવાટ. આ મંદિર સિમરિપ શહેરમાં આવેલું છે. ભગવાન…
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર નકવીએ આપ્યું રાજીનામું આજે રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે કેબિનેટની બેઠક બાદ રાજીનામાની કરી જાહેરાત 6 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. મોદી સરકારના બે…
ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન પોરબંદર નજીક દરિયા કિનારે 22 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા 20 ભારતીય, 1 શ્રીલંકન અને 1 પાકિસ્તાની નાગરિકને બચાવ્યો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા વેપારી જહાજ MT ગ્લોબલ કિંગ-1ના 22 ક્રૂ મેમ્બર્સને સંકટમાંથી બચાવી લેવાયા, બચાવ કામગીરી હાથ ધરવા માટે ICG જહાજો અને ALH ધ્રુવને પોરબંદરથી દરિયામાં 93 નોટિકલ માઇલ સુધી લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તમામ માહિતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનાં અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. બચાવવામાં આવેલ 22 નાગરિકોમાંથી 20 ભારતીય નાગરિકો છે. ઉપરાંત તેમાં 1 શ્રીલંકન અને 1 પાકિસ્તાની નગરિકનો પણ સમાવેશ થાય છે. https://twitter.com/ANI/status/1544644366668427265?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1544644366668427265%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Findian-coast-guard-saved-22-crew-members-of-merchant-vessel-mt-global-king-one-near પોરબંદરથી 93 નોટિકલ મેઇલ પશ્ચિમમાં અને ખોર ફક્કન UAE જતાં…
ના ચોરાશે કે ના ખોવાશે! ખૂબ ઉપયોગી છે આ સ્માર્ટ વોલેટ આ સ્માર્ટ વોલેટ કરે છે કઇક કામ વારંવાર પોતાનો સામાન ભૂલી જાવ છો તો આ પ્રોડક્ટ છે બેસ્ટ સ્માર્ટફોને આજકાલ આપણી રહેણી કહેણી બદલી નાંખી છે. દરરોજ એક નવી પ્રોડક્ટ આપણી જિંદગીમાં એન્ટ્રી કરે છે. પરંતુ સારી વાત એ છે કે નવી પ્રોડક્ટ્સ પણ હવે સ્માર્ટ આવી રહી છે. જો તમે વારંવાર પોતાનો સામાન ભૂલી જાવ છો, તો અમે તમારા માટે આજે એક નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. જોકે, પર્સ ચોરી અથવા તો ખોવા જેવી સમસ્યાઓથી બચવા માટે અમે કોઈ એવી પ્રોડક્ટની શોધમાં હતા. આ સમસ્યાને દૂર કરવા માટે…
18 દિવસમાં એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ પર માંગ્યો જવાબ દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ખામી સર્જાતાં પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું કંડલા-મુંબઈ ફ્લાઇટમાં પણ ખામી સર્જાતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું તાજેતરમાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી…

