What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આ છે દેશની ટોપ સીએનજી કાર જે સૌથી વધુ માઈલેજ આપે છે આ સીએનજી કારની કિંમત પણ ઓછી છે દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી નાગરિકો પરેશાન છે. તો સીએનજી કારમાં ફેરવવાની વાત કરી રહ્યાં છે. સીએનજી પર ચાલતી કાર, પેટ્રોલ-ડીઝલ દ્વારા ચાલતી કારથી વધુ માઈલેજ આપે છે અને સીએનજીની કિંમતો પણ પેટ્રોલ-ડીઝલથી ઓછી છે. આવો તમને દેશની ટોપ સીએનજી કાર વિશે જણાવીએ જે સૌથી વધુ માઈલેજ આપે છે અને કિંમત પણ ઓછી છે. મારૂતિ સેલેરિયો સીએનજી 35.6 કિલોમીટરનું માઈલેજ આપે છે. મારૂતિ તરફથી આવો દાવો કરવામાં આવ્યો છે. જેની કિંમત 6.69 લાખ રૂપિયા છે. કારમાં 998 સીસીનુ એન્જિન મળે છે, જે…
આ 50 રૂપિયાની નોટ હોય તો તમે એ લાખો રૂપિયામાં વહેંચી શકો છો ફક્ત 50 રૂપિયાની જ નહીં તમે 5,10, 20 કે 100 રૂપિયાની નોટ પર પણ કમાણી કરી શકો આવી વેબસાઈટમાં તમે ફક્ત નોટો જ નહીં પણ જુના અને યુનીક સિક્કા પણ વંહેચી શકો છો પૈસા કમાવવા કોને નથી પસંદ? અને એ પણ કોઈ મહેનત કર્યા વિના હજારો-લાખો રૂપિયા મળતા હોય તો એમાં કશું ખોટું નથી. આ વાત સાંભળવામાં સારી લાગે છે પણ સૌથી પહેલા એ જ વિચાર આવે કે આવું કેવી રીતે શક્ય છે. જો તમારી પાસે જૂની નોટ કે યુનિક સીરીયલ નંબર વાળી નોટ પડી છે તો…
આવતીકાલે સાંજે 4 વાગ્યે ગુજરાત ભાજપના MLAની બેઠક મળશે CM, CR સહિત કેન્દ્રિય નેતાઓ હાજર રહેશે મુખ્યમંત્રી નિવાસે યોજાનારી બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને હાજર રહેશે ગુજરાત ભાજપના ધારાસભ્યોની આવતી કાલે મહત્વની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રના બે નેતા બી.એલ. સંતોષ અને તરુણજી ચુગ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. બેઠકમાં ધારાસભ્યોને શાળા પ્રવેશોત્સવની સાથે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને જે ધારાસભ્યોની કામગીરી નબળી છે તેમને વિકાસના કામો અને મતવિસ્તારમાં સતત સંપર્કમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન અંગે પણ ધારાસભ્યોને માર્ગદર્શન…
જૂના વાહનો ભરી યમન જઈ રહેલા ‘રાજ સાગર’ વહાણની જળસમાધિ વહાણમાં રહેલ કેપ્ટન અને એક ક્રુ મેમ્બરના મોત પોરબંદરનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું પોરબંદરના ‘રાજ સાગર’ નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધિ લેતા વહાણના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8ને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનાર વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરી યમન જઈ રહ્યું હતું. ‘રાજ સાગર’ વહાણ દુબઈથી કેપ્ટન સહિત 10 ક્રુ મેમ્બરો સાથે જુના વાહનો ભરીને રવાના થયુ હતુ. ત્યાર બાદ વહાણ ડુબતા કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બર મળી બે વ્યકિતના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 8…
એકજ નદીમાં વહે છે પાંચ કલરનું પાણી એક નજરે ખોટી લાગતી આ તસ્વીરો હકીકત નદીમાં ઊગતા છોડને કારણે પાણી લાગે છે રંગીન તમે આકાશમાં વરસાદ દરમિયાન સાત રંગોનું મેઘધનુષ્ય જોયું જ હશે. આ સુંદર દૃશ્ય થોડા સમય માટે જ યોગ્ય છે, પરંતુ તે મનને આકર્ષે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણી ધરતી પર એક વહેતું મેઘધનુષ્ય પણ છે, જો કે તેના 7 નહીં પરંતુ 5 રંગ છે. Fake Vs Real સિરીઝમાં આજે અમે તમને આ પાંચ રંગની નદી વિશે જણાવીશું, જેની તસવીરો ફોટોશોપ કરવામાં આવી હોય તેવી લાગે છે. પૃથ્વી પર કેટલીક એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જે…
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ ધારાસભ્યોને ઇમ્ફાલ લઇ જવાની તૈયારીઓ એકનાથ સિંદે સહિત 40 mla હાલ ગુવાહાટીમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ લાવનારા એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સાથે કડક બંદોબસ્ત વચ્ચે ગુવાહાટીની હોટલમાં ડેરો જમાવીને બેઠા છે.આ વચ્ચે સમાચારો એવા પણ સામે આવી રહ્યા છે શિંદેએ તમામ ધારસભ્યોને ઇમ્ફાલ મોકલવાની તૈયારીઓ કરી લીધી છે. બસ ખાલી મહારાષ્ટ્રમાં સરકાર અને પાર્ટીઓ વચ્ચે મળનારી બેઠકોના પરિણામની રાહ જોવાઇ રહી છે. મહત્વનું છે કે એકનાથ શિંદે બુધવારે સવારે 40 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. રેડિસન બ્લુ હોટેલ તેઓ રોકાયા છે. હોટલની અંદર અને બહાર આસામ પોલીસની સુરક્ષા સાથે CRPF પણ તૈનાત કરવામાં આવી છે. મીડિયાને અહીં પ્રવેશવાની મનાઇ છે. હોટલની અંદરથી માત્ર પોલીસ અધિકારીઓના…
હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મળશે પૈસા કમાવવાની નવી તક હવે ક્રિએટર્સ બનશે માલામાલ જાણો માર્ક ઝુકરબર્ગે શું કરી કરી મોટી જાહેરાત માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકના સીઈઓએ કહ્યું છે કે કંપની વર્ષ 2024 સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહીં લે. ઝકરબર્ગે એક પોસ્ટમાં તેના વિશે લખ્યું છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ પ્લેટફોર્મના નિર્માતાઓ પાસેથી કોઈપણ પ્રકારની આવક લેશે નહીં. આમાં પેઇડ ઓનલાઈન ઈવેન્ટ્સ, સબ્સ્ક્રિપ્શન્સ, બેજ અને બુલેટિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે સર્જકોને બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની નવી રીત વિશે પણ…
DHFLના વાધવાન બંધુઓ સામે 34,615 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત કુલ 17 સામે કેસ દાખલ ભારતના એનબીએફસી સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને હચમચાવી નાખનાર DHFL સ્કેમમાં પ્રમોટર વાધવાન બંધુઓ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રિય તપાસ એજન્સીએ કપિલ અને ધીરજ વાધવાન સામે રૂ. 34, 615 કરોડની છેતરપિંડીનો કેસ દાખાલ કર્યો છે. આ સાથે સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ કેસ છે. આ અગાઉ એબીપી શિપયાર્ડનો રૂ. 22,842 કરોડનો ફ્રોડ કેસ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ એનબીએફસી કંપની…
નસેડીઓની હવે ખેર નહીં! હવે ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરશે પોલીસ: માત્ર 9 મિનિટમાં જ આવી જશે રિપોર્ટ
અમદાવાદમાં SOG ક્રાઇમનો ડ્રગ્સને લઇને નવતર પ્રયોગ ‘ડ્રગ્સ ડિટેક્ટ કીટ’ દ્વારા 9 જ મિનિટમાં ડ્રગ્સના સેવનની જાણકારી મળશે કીટનો ઉપયોગ કરી તપાસ કરતા અમદાવાદમાં એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો દારૂ બાદ હવેથી ડ્રગ્સનું સેવન કરનારાઓની પણ ખેર નહીં. ડ્રગ્સનું સેવન કરનારા લોકોને પણ હવે સરળતાથી ઝડપી લેવાશે. એ માટે અમદાવાદમાં SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના દ્વારા માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરીને સરળતાથી ડ્રગ્સ લેનારી વ્યક્તિને ઝડપી લેવાશે. મહત્વનું છે કે, એ માટે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આજે તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદના જમાલપુર, કાલુપુર, દરિયાપુર અને શાહપુરમાં ડ્રગ્સ…
ઈંગ્લેન્ડમાં 15 વર્ષથી ટેસ્ટ શ્રેણી જીતી નથી ભારતીય ટીમ છેલ્લે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમને મળી હતી જીત રોહિત શર્માની આગેવાનીમાં ટેસ્ટ જીતશે તો 15 વર્ષ બાદ રચાશે ઈતિહાસ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટની શરૂઆત 1 જુલાઈથી થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ ગઇ હતી. પરંતુ ચાર મેચ બાદ ભારતના અમુક ખેલાડી અને કોચ કોરોના સંક્રમિત થયા હતા. એવામાં છેલ્લી મેચ સ્થગિત કરવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે શ્રેણીમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કેપ્ટનશિપ અને હેડ કોચ રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમ આ ટેસ્ટ જીતે…