Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતમાં વરસાદને લઇનેહવામાન વિભાગની આગાહી 24થી 26 જૂનના રોજદક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા. તમને…

Read More

પુષ્પા 2ની સ્ટોરી થઈ લીક બીજા ભાગમાં શ્રીવલ્લી નહીં હોયની ચાલી રહી છે ચર્ચા ભારે ચર્ચાઓ બાદ નિર્માતાઓએ તોડ્યું મોન પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં હિરોઈન રશ્મિકા મંદાનાનાં કેરેક્ટર શ્રીવલ્લીનું મોત થશે તેવી અફવા ફેલાતાં સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વ્યથા અને આક્રોશ ઠાલવવા માંડયા હતા. વાત એટલી હદે વધી પડી હતી કે છેવટે મેકર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે શ્રીવલ્લીનું પાત્ર ખત્મ થવાનું નથી. બીજા ભાગમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેશે જ. દક્ષિણ ભારતમાં ફિલ્મો માટે, તેનાં પાત્રો માટે , તે ભજવનારા કલાકારો માટે લોકોની દિવાનગીનું એક અલગ જ સ્તર છે. આ દરમિયાન એવી વાત વહેતી થઈ હતી કે…

Read More

 ખૂબ ટ્રેન્ડમાં છે ફ્લોરિંગ ક્લોથ્સ કેવા કપડાં પહેરવા માટેની આ રહી ટિપ્સ કોલેજથી લઈ નાના-મોટા ફંક્શનમાં છે આનો ટ્રેન્ડ ઉનાળાની ઋતુમાં ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં હોય છે. આવી સ્થિતિમાં, તમારું હૃદય પણ તેને પહેરવા માંગશે. પરંતુ જો તમે હજી પણ મૂંઝવણમાં છો કે ફ્લોરલ પ્રિન્ટને કેવી રીતે સ્ટાઇલ કરવી તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે યોગ્ય રીતે ફ્લોરલ પ્રિન્ટને મિક્સ કરીને મેચ કરીને પરફેક્ટ લુક મેળવી શકો છો. માર્ગ દ્વારા, ફ્લોરલ પ્રિન્ટ હંમેશા ફેશનમાં હોય છે. પરંતુ મોટાભાગની છોકરીઓ તેને ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. તમારે ફક્ત તમારા શરીરના પ્રકાર અનુસાર યોગ્ય પ્રકારની પ્રિન્ટ…

Read More

આકાશ એરલાઇન્સનું પ્રથમ પ્લેન આવી પહોચ્યું દિલ્હી આગામી ટૂંક સમયમાં વિમાન સેવા શરૂ કરે તેવી તૈયારીઓ આકાશ એરલન્સને રાકેશ ઝુનઝુનવાલા કરી રહ્યા છે સપોર્ટ અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પ્રમોટેડ અકાસા એરને મંગળવારે અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી તેનું પહેલું વિમાન મળ્યું. બોઇંગનું 737 મેક્સ એરક્રાફ્ટ, જેણે સિએટલથી ઉડાન ભરી હતી, તે આજે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોચ્યું છે. “આકાસા એરના પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી એરલાઇનને તેની એર ઓપરેટર્સ પરમિટ (AOP) મેળવવાની નજીક લાવે છે, જે તેને દેશમાં વ્યાપારી કામગીરી શરૂ કરવા માટે જરૂરી છે,” અકાસા એરએ એક નિવેદનમાં જણાવ્યું હતું.Akasa Air, જેને ઉડ્ડયન અનુભવીઓ વિનય દુબે…

Read More

મહારાષ્ટ્રમાં ચાલી રહી છે રાજકીય ઊથલપાથલ મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્યારી થયા કોરોના સંક્રમીત HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીકોવિડ પોઝિટીવ આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને હાલમાં HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યપાલની તબિયત હાલ કેવી છે, તેમને કોરોનાના ગંભીર કે સામન્ય લક્ષણ છે કે શું તેની જાણકારી હાલ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં હાલ મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉદ્ધવ સરકાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે આજે બપોરે રાજ્યપાલને મળવાના હતા તે સમયે જ રાજ્યપાલ કોરોના સંક્રમિત…

Read More

અફઘાનિસ્તાનમાં મોટી ભયાનકતા સર્જાઈ ભૂકંપના જોરદાર આંચકાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ધરતી ધણધણી 155 લોકોના મોત થઈ ગયા ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 155 લોકોના મોત થઈ ગયા છે. મોતના આ આંકડો હજૂ પણ વધી શકે છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી,…

Read More

હજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ આ વસ્તુઓનો ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ આ વસ્તુઓમાં વર્ષો બાદ પણ તેના સ્વાદ કે પોષક તત્વોમાં કોઈ ફેરફાર થતી નથી તમે જે ખાઓ છો અને પીવો છો તે લગભગ બધું ચોક્કસ સમય પછી બગડી જાય છે. એટલે કે તે સમય પછી તેમને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેથી જ બજારમાંથી લેવામાં આવેલા દરેક ઉત્પાદન પર મેનુફેક્ચરીંગ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી છે. ત્યાં જ એવી ઘણી વસ્તુઓ છે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી. તેઓ વર્ષો વર્ષ સુઘી ચાલે છે. ન તો તેમનો સ્વાદ બદલાય છે ન તો તેમાં…

Read More

વિદેશમાં જોવા મળે તેવો વંટોળ સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યો વંટોળ જોઈ લોકોમાં કુતુહલની સાથે ભય ફેલાયો ચાલુ વરસાદે લખતર પંથકમાં જોવા મળ્યો આ વંટોળ વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર પંથકમાં આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતૂહની સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. સમગ્ર મામલે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના…

Read More

ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી છે. મુર્મૂએ કહ્યું કે તેમને આ માહિતી tv દ્વારા મળી. મુર્મૂએ કહ્યું, ‘મને આશા છે કે મને ઓડિશાના તમામ નેતાનું સમર્થન મળશે ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે ભાજપે દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને આટલા મોટા પદ માટે પસંદ થયા પહેલા આ વાતની જાણ નહોતી. મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ અંગે માહિતી આપી હતી.માહિતી આપતા તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુર્મૂ ઝારખંડના…

Read More

વિશ્વમાં ગોલ્ડ રિસાઇક્લિંગમાં ભારત ચોથા ક્રમે રિફાઇનિંગમાં દાયકામાં 5 ગણી વૃદ્ધિ સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઘટી રહેલા રિટનર્નના કારણે રિસાઇકલિંગ ક્ષેત્રને વેગ ગોલ્ડ રિફાઇનિંગ, રિસાયકલ, વપરાશમાં વૈશ્વિક સ્તરે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં વૈશ્વિક સ્તરે ભારતની મોટા પાયે ડિમાન્ડ રહી છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ગોલ્ડ રિફાઈનિંગ ઉદ્યોગમાં પણ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યો છે. રિફાઇનીંગ ઉદ્યોગના ઝડપી ગ્રોથ સાથે સમગ્ર વિશ્વમાં સોનાના રિસાયકલિંગમાં પણ ભારત 4થા ક્રમે પહોંચ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર 2013થી 2021 સુધીમાં ભારતના સોનાની રિફાઈનિંગ ક્ષમતા વધીને 1500 ટન થઈ છે. જે 8 વર્ષમાં પાંચગણી ક્ષમતા વધ્યાનું…

Read More