What's Hot
- BSNL એ આ વિશેષ સેવા બંધ કરી, AI તેને શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાથે બદલશે
- India Pakistan Tension: સરકારની એડવાયઝરી, મોટા સાયબર હુમલાની શક્યતા, રહો સાવધાન
- IPL ખેલાડીઓ સ્પેશિયલ ટ્રેન દ્વારા પરત ફરશે, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI દ્વારા મોટી કાર્યવાહી
- ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે IPLનું શું થશે? ચેરમેન અરુણ સિંહ ધૂમલે આપ્યું મોટું નિવેદન
- ભારે ગોળાબારી વચ્ચે IPL મેચ રદ, PBKS vs DC વચ્ચેની મેચ દરમિયાન છવાઈ ગયું અંધારું
- ગુજરાત: પોલીસકર્મીઓની રજા રદ, પાકિસ્તાન સરહદે આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી
- ગુજરાતના કચ્છમાં ડ્રોન વિસ્ફોટ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ
- પાકિસ્તાનને જોરદાર થપ્પડ, ભારતીય સેનાએ જાહેર કર્યો એક્શનનો વીડિયો, જોઈને આખા દેશને થશે ગર્વ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા ઘૂસણખોરી કરી રહેલા લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT આતંકવાદીઓ)ના હોવાનું કહેવાય છે. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા એક અથડામણમાં, પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસને…
બદામની છાલમાંથી ખાતર બનાવી શકાય છે બદામ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચટણીના રૂપમાં બદામની છાલનું પણ સેવન કરી શકો છો. વાસ્તવમાં બદામ પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવતી બદામ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ બદામની છાલ પણ ઓછી ફાયદાકારક નથી. તેથી, તેમને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ અન્ય ઘણા હેતુઓ માટે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ બદામની છાલનો ઉપયોગ કરવાની કેટલીક સરળ રીતો વિશે. તમે બદામની છાલનો ઉપયોગ છોડ માટે ખાતર તરીકે કરી શકો છો. બદામની છાલમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ,…
આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે. 6 ઓક્ટોબર, ગુરુવારે પાપાંકુશા એકાદશીનો છેલ્લો સંયોગ બનશે ઉપવાસ ન રાખી શકો તો વ્રત કરી શકો છો. 26 મે, ગુરુવારે અપરા એકાદશી વ્રત કરવામાં આવશે. આ વર્ષનો ત્રીજો એવો સંયોગ છે, જ્યારે ગુરુવારે એકાદશી તિથિ આવી રહી છે. બંનેના જ સ્વામી ભગવાન વિષ્ણુ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવી વધારે ખાસ રહેશે. આ એકાદશીએ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોથી મળીને સૂર્યોદય સાથે જ 6 શુભ યોગ બનશે. જેના લીધે અપરા એકાદશી વ્રતનું અનેક ગણું શુભ ફળ મળશે અને આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે. ગુરુવારે સૂર્યોદય સાથે જ…
દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં મોટો ઘટાડો તો પણ મધ્યમવર્ગને તો ભાવ 90 થી પણ વધારે પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપનાવો આ ટ્રિક્સ પેટ્રોલના ભાવો આસમાને જઈ રહ્યા છે અને હવે તે સામાન્ય લોકોના બજેટ પર વધારે અસર પાડે છે. ભારતમાં જ્યારે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે, ત્યારે આ કામ એટલું ઝડપથી નથી થઈ રહ્યુ. તે સિવાય ચાર્જિંગની વ્યવસ્થા પણ હજી સુધી થઈ શકી નથી. તેવામાં લોકો પેટ્રોલથી ચાલનારી બાઈક ચલાવી રહ્યા છે. જો તમારુ ટૂ-વ્હીલર સારી એવરેજ નથી આપી રહ્યુ તો તેને સરળ ટ્રીક અપનાવીને પણ વધારી શકાય છે, જરુર છે માત્ર સાચી રીત અપનાવવાની. આ માહિતીમાં…
એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી હવે પુરવઠા અધિકારીઓ મનમાની નહીં કરી શકે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય…
ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે. દેશ વિદેશમાં ગુજરાતના પ્રવાસીઓ મુલાકાતો કરે છે ત્યારે ગુજરાતીઓ ખાસ કરીને હાઉસ બોટમાં રોકાવા માટે કેરળ અને કાશ્મીરનો પ્રવાસ પણ કરતા હોય છે. જોકે, હવે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે. ગુજરાતના જ લોકપ્રિય પ્રવાસ સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાઉસ બોટની સુવિધા શરૂ…
એક વ્યક્તિના શોખે પોતાને બનાવ્યો કુતરો આબેહુબ કુતરાનું બનાવડાવ્યું કોસ્ચ્યુમ ઝેપેટ નામની કંપનીએ બનાવ્યું 12 લાખમાં કોસ્ચ્યુમ જાણકારી અનુસાર જાપાનના આ વ્યક્તિનું નામ ટોકો છે. આ માણસને કૂતરા જેવો દેખાવાનો એટલો શોખ હતો કે તેણે તેના માટે 2 મિલિયન યેન( અંદાજીત 12 લાખ રૂપિયા ) ખર્ચી નાખ્યા. આટલા પૈસા ખર્ચ્યા બાદ તેણે એવો કોસ્ચ્યૂમ બનાવ્યો છે, જે પહેરીને તે કૂતરા જેવો દેખાય છે. અને તેના લીધે તે ઓળખાતો પણ નથી કે સાચે એ માણસ છે. ટોકોએ ડોગ બન્યા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો પણ શેર કરી છે. કોઈ વ્યક્તિની આવી તસવીરો જોઈને તમે વિચારતા હશો કે તેણે આવું કેમ…
‘ગેરેજ ઓન વ્હીલ્સ’, મહિલા મિકેનિક્સની અનોખી પહેલ ઇન્દોરમાં શરૂ કુલ 50 જેટલી મહિલાઓ હાલ કાર્યરત હવે ગેરેજ જ ઘરે આવશે બાઈક રિપેરિંગ માટે મહિલાઓને ટેકનીકલ રોજગારી સાથે જોડવાના પ્રયાસોનો દોર 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગના જોઈન્ટ ડાયરેકટર ડો.સંધ્યા વ્યાસના હસ્તે ‘ગેરેજ ઓન વ્હીલ્સ’ને લીલીઝંડી આપવામાં આવી હતી. આ અંતર્ગત મારુતિ વાનને ગેરેજ તરીકે વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ જ સમાજ દ્વારા 150 જેટલી મહિલાઓને ટુ વ્હીલર મેકેનિકની તાલીમ આપવામાં આવી છે અને હાલમાં 50 જેટલી મહિલાઓ મિકેનિક્સના રોજગારમાં લાગી છે. આ સંદર્ભે ઈન્દોર શહેરમાં આ સંસ્થા દ્વારા આવા બે…
ભારત સરકારની નવી સુવિધા હવે લાયસન્સ અને આરસી બુક સાથે રાખવાની જરૂર નથી વોટ્સએપ પરથી આ કામ થઈ જશે ઘરેથી નિકળ્યા બાદ ગાડીના કાગળીયા સાથે લઈને ફરવું ઘણી વાર મુશ્કેલ થઈ પડતું હોય છે. હવે સરકારે લોકોને આ મુશ્કેલીઓનો તોડ શોધી કાઢ્યો છે. માહિતી ખાતાના મંત્રાલયે વોટ્સએપ યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેનો ઉપયોગ કરીને આપ મોબાઈલમાં જ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી સહિતના કેટલાય ડોક્યુમેંટ ડાઉનલોડ કરી શકો છો. તો આવો જાણીએ કઈ છે આ સુવિધા જે, હવે ભારતીયોને મળવા જઈ રહી છે. આવી રીતે ડાઉનલોડ કરી શકશો ડોક્યુમેંટ સૌથી પહેલા આપને +91 9013151515 નંબર પર નમસ્તે, હેલો અથવા…
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે સામાન્ય વરસાદ 28 અને 29 મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બીજી બાજુ માછીમારોને પણ તારીખ 28 અને 29 મેના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, આજે 26 મેના…