What's Hot
- IPL ખેલાડીઓ સ્પેશિયલ ટ્રેન દ્વારા પરત ફરશે, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI દ્વારા મોટી કાર્યવાહી
- ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે IPLનું શું થશે? ચેરમેન અરુણ સિંહ ધૂમલે આપ્યું મોટું નિવેદન
- ભારે ગોળાબારી વચ્ચે IPL મેચ રદ, PBKS vs DC વચ્ચેની મેચ દરમિયાન છવાઈ ગયું અંધારું
- ગુજરાત: પોલીસકર્મીઓની રજા રદ, પાકિસ્તાન સરહદે આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી
- ગુજરાતના કચ્છમાં ડ્રોન વિસ્ફોટ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ
- પાકિસ્તાનને જોરદાર થપ્પડ, ભારતીય સેનાએ જાહેર કર્યો એક્શનનો વીડિયો, જોઈને આખા દેશને થશે ગર્વ
- ભારતે તોડ્યું પાકિસ્તાનનું ગૌરવ, 50થી વધુ ડ્રોન તોડી પાડ્યા, આ સ્થળોએ કરી કાર્યવાહી
- ગોળીબાર વચ્ચે જમ્મુનો તાગ મેળવવા માટે CM ઓમર અબ્દુલ્લા નીકળ્યા, ‘X’ પર માહિતી આપી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પડદા પર ફ્લોપ રહી કંગનાની ધાકડ ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની ટક્કર સામે ના ટકી શકી ધાકડ ફિલ્મ માત્ર 5 કરોડનું થયું ધાકડનું કલેક્શન બોલીવુડ અભિનેત્રી કંગના રનોત ની ફિલ્મ ધાકડ બોક્ષ્સ ઓફીસ પર ફ્લોપ રહી છે. અને હવે ધીરે ધીરે પડદા પરથી ઉતારવા લાગી છે. ધાકડ ફિલ્મ ઓપનીંગ દિવસથી જ કોઈ સારો કમાલ દર્શાવ્યો નથી અને અત્યાર સુધી બોક્સ ઓફીસ ઉપર જેમ તેમ કરીને ચાલી રહી છે. કંગના ની ફિલ્મ ધાકડ ની હવે કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સાથે થઇ છે. જ્યાં કાર્તિક ની ફિલ્મે પહેલા જ દિવશે 14 કરોડની કમાણી કરી છે, જેની સામે કંગના ની…
આજના આ યુગમાં ફેશનનું ખૂબ મહત્વ રહેલ છે આ 5 વિવિધ પ્રકારના શર્ટ દરેક માણસ પાસે હોવા જોઈએ કારણ કે સારી ડ્રેસિંગ પ્રથમ છાપ બનાવે છે અને આત્મવિશ્વાસ બનાવે છે આજના આ યુગમાં ફેશનનું ખૂબ મહત્વ રહેલ છે, ત્યારે પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિ પાસે ઢગલા મોઢે જુદી જુદી ફેશનના કપડાં હોય છે, ત્યારે આ 5 વિવિધ પ્રકારના શર્ટ દરેક માણસ પાસે હોવા જોઈએ. કામ પર મહત્વપૂર્ણ મીટિંગ અથવા કોઈ જગ્યાપર ડેટ માટે જતી વેળાએ આ શર્ટ પહેરવા એકદમ યોગ્ય રહેશે. કોઈપણ કપડામાં ફીટ કરેલ શર્ટની શક્તિને ઘણીવાર ઓછો અંદાજવામાં આવે છે. યોગ્ય આયોજન આવશ્યક છે કારણ કે સારી…
બનાસકાંઠામાં ખેડૂતો ક્રાંતિના મૂડમાં કરમાવદ તળાવ, મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ 26 મે એ ખેડૂતો યોજશે મહારેલી ગુજરાત રાજસ્થાન ની બોર્ડર પર આવેલું બનાસકાંઠા હાલ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે પાલનપુર અને વડગામ તાલુકાના 125 ગામોમા પીવાના પાણીનું સંકટ ઘેરુ બન્યું છે ત્યારે હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે ખેડૂતો એ જળ આંદોલન નો માર્ગ અપનાવ્યો છે અને 25 વર્ષથી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ ઉગ્ર બની છે તેવામાં વડગામ તાલુકાના ખેડૂતો એકત્રિત થઈને તાલુકાના અલગ અલગ ગામોમાં બેઠક કરી ખેડૂતોને આગ્રહ કરે છે કે તેઓ આગળ આવે અને આવનારી પેઢીઓને પીવાના અને ખેતીના પાણી મળી રહે…
કાંકરેજ વિસ્તારમાં મિનરલ ઠંડા પાણીના જગના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા બોટલ રાજ હાટડીઓ કોની રહેમ નજર ચાલી રહી છે તે તપાસનો વિષય માત્ર એક ટીપું લિક્વિડ નાઇટ્રોજનથી પાણી રહે છે ઠંડુ પણ સ્વસ્થ્યને કરે છે નુકસાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિનરલ ઠંડા પાણી માટે ચાલતી પ્રજા ના સ્વાસ્થ્યની હાની કરતી બોટલ રાજ હાટડીઓ કોની રહેમ નજર ચાલી રહી તેની તપાસ થશે ખરા.. વાત કરવામાં આવેકે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ ફક્ત એક ટીપું જ નાંખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના…
ઉપલેટાના ખેડૂત દંપતીએ વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની કરી માંગ પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂત દેવા તળે દબાયો છે ખેત ઉપયોગી વસ્તુ હપ્તે આપવા અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટેની પરવાનગી માંગી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટે ની પરવાનગી માંગી છે. છેલ્લા ત્રણ વર્ષ થી એક બાદ એક માનવસર્જિત અને કુદરતી આફતો ને કારણે પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂત દંપતી દેવાના ડુંગર તળે…
જિલ્લાના પેટ્રોલ પંપ પર ભાવ ઘટતાં અસર દેખાઈ જિલ્લાના 140થી વધુ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ થયા ખાલી ભાવ ઘટાડા બાદ જથ્થો જરૂરિયાત કરતાં 50 ટકા કરતાં પણ ઓછો આવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના પેટ્રોલ પંપ પર ભાવ ઘટતાં અસર દેખાઈ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટયા તો ગ્રાહકો વગરના થયા પેટ્રોલ પંપો પેટ્રોલ ડીઝલમાં સરકારે ભાવ ઘટાડી ગ્રાહકોની રાહત આપી હતી. જિલ્લાના 140 થી વધુ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ થયા ખાલી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ લીધા વગર પાછું જવું પડી રહ્યું છે. પેટ્રોલ પંપ પર ભાવમાં ઘટાડો થયા બાદ જથ્થો ઓછો આવતા અસર વર્તાઈ હિંમતનગર શહેરમાં 10 થી વધુ પેટ્રોલ…
વિશાખાપટ્ટનમના બિરયાની પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી બિરયાની પ્રત્યેના અમારા પ્રેમને અધિધિ દેવો ભવ, એક રેસ્ટોરન્ટે લોન્ચ કર્યું છે આ વાનગીની કિંમત ₹1,500 છે અને તેમાં બે કિલોગ્રામ ચોખા અને માંસનો સમાવેશ થાય છે જે ખાદ્ય સોનાના પાનથી ઢંકાયેલા છે વિશાખાપટ્ટનમના બિરયાની પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. લાકડા પર રાંધવામાં આવતી પરંપરાગત બિરયાનીથી માંડીને કરચલા અને પ્રોન બિરયાનીના જ્વલંત મિશ્રણ સુધી, સ્વાદવાળા ચોખા શહેરમાં ખાદ્ય પદાર્થોનો રાજા છે. બિરયાની પ્રત્યેના અમારા પ્રેમને અધિધિ દેવો ભવ, એક રેસ્ટોરન્ટે લોન્ચ કર્યું છે, જેણે સોનાની ખાસ બિરયાની શરૂ કરી છે જે મોટા ચાંદીના બાઉલમાં પીરસવામાં આવે છે અને ખાદ્ય 23-કેરેટ સોનાના પાંદડાઓથી શણગારવામાં…
અમદાવાદમાં શુક્રવારે IPL ક્વોલિફાયર-2 મેચ રમાશે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદ પહોંચશે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ રમાશે ફરી એકવાર અમદાવાદના દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, આ વખતે સ્ટેડિયમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. જેના ભાગ રૂપે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચશે. મહત્વનું છે કે, અમદાવાદ ખાતે આ વખતે IPL 2022ની ક્વોલિફાયર -2 મેચ તેમજ IPLની ફાઈનલ મેચ રમાવાની છે. જેના ભાગરૂપે આજે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદ પહોંચશે મહત્વનું છે કે, શુક્રવારે ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો મેચ રમાશે.ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આઈપીએલ 2022…
ઉત્તર પ્રદેશમાં તોફાને તાંડવ મચાવ્યું ધૂળ ડમરી અને વિજળી પડવાથી લોકોના મોત થયા સરકારી આંકડા અનુસાર 39 લોકોના મોત થયાં ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, સોમવારે મોટા ભાગની ઘટનાઓ ધૂળ, ડમરી અને વિજળી પડવા તથા ડૂબવાના કારણે થયા છે. મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. યુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સોમવારે ધૂળ ભરેલી ડમરી, વિજળીના કડાકા અને ડૂબવાના કારણે અલગ અલગ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા,…
PM મોદી 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. PM મોદીએ જાપાનમાં ક્વોડ રાષ્ટ્રોના નેતાઓ સાથે ભાગ લીધો જપાનમાં PM મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ક્વાડ ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા માટે PM મોદીની જપાનની બે દિવસીય મુલાકાત પૂરી થઈ ગઈ છે અને હવે તેઓ ભારત પાછા ફર્યા છે. તેમનું વિમાન આજે સવારે દિલ્હીના પાલમ સ્થિત એરફોર્સ સ્ટેશન પહોંચ્યું હતું. તે જ સમયે, હવે PM મોદી 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠક પીએમના નિવાસસ્થાને જ યોજાશે. આ ચોથી વખત હતું જ્યારે PM મોદીએ જપાનમાં ક્વોડ રાષ્ટ્રોના નેતાઓ સાથે વાતચીતમાં ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા, જપાન, અમેરિકાનો સમાવેશ…