What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં નવા રોડ રસ્તા બનાવવાની મંજૂરી મળી કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને કેન્દ્ર સરકારે આપી મંજૂરી કેન્દ્ર સરકારે 1 લાખ 23 હજાર કિમી રસ્તાને મંજૂરી ગુજરાતમાં વિકાસના કાર્યોએ રફતાર પકડી છે. વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. જનતાની સુવિધા અને સુખાકારી માટે વિકાસના કામોની ભેટ મળી રહી છે. તેમાં પણ જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ચારેય તરફ વિકાસના કાર્યોની કામગીરી ચાલી રહી છે. ક્યાંક બુલેટ ટ્રેન તો ક્યાંક ઓવરબ્રિજ. ક્યાંક સિક્સલેન વે તો ક્યાંક મલ્ટીલેવલ પાર્કિંગ. ત્યારે હવે ગુજરાતની જનતાને વધુ એકવાર ટ્રાન્સપોર્ટેશનને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવા રોડની કામગીરી માટે મંજૂરી મળી…
65 વર્ષના મુકેશ અંબાણીનું જિયોના ડાયરેક્ટરપદેથી રાજીનામું 30 વર્ષની ઉંમરે આકાશ અંબાણી બન્યા નવા ચેરમેન ગત વર્ષે ધીરુભાઈની જયંતી પર મુકેશ અંબાણીએ આ માહિતી આપી હતી રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ ફેરફારની માહિતી મોકલી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ…
મહારાષ્ટ્રમાં દંગલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના દિલ્હીમાં ધામા દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે કરશે બેઠક રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે જણાવી શકે છે મહારાષ્ટ્રના રાજકીય નાટકમાં અત્યાર સુધીમાં પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપે હવે સ્ટેજ પર વિધિવત્ત એન્ટ્રીની તૈયાર કરી લીધી છે. બીજ તરફ શિવસેનાથી બળવો કર્યો બાદ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારને ઉથલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રની રાજકીય લડાઈ હવે મુંબઈ અને ગુવાહાટીથી દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા દિલ્હીમાં ધામા નાખ્યા છે જ્યારે શિંદે શિવસેના પર દાવો ઠોક્યો છે. સૂત્રોના…
ઈન્ટરનેટ વગર પણ Gmail પરથી ઈ-મેલ મોકલી શકાશે જાણો એવી ટ્રીક જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારે બસ ફક્ત આ કરવાનું છે ઈન્ટરનેટ જીવનનો એક મોટો ભાગ બની ગયું છે, તેના વગર બધું જ અધૂરું લાગે છે, કારણ કે એવી ઘણી એપ્સ છે જે આપણી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે, પરંતુ તે ઇન્ટરનેટ વગર એક્સેસ ન થઈ શકે. ગૂગલની Gmail સેવા પણ તેમાંની એક છે, પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના Gmailનો ઉપયોગ કરી શકશો. આ ટ્રીકથી તમે Gmail પર મેસેજ વાંચી શકો છો, સર્ચ કરી શકો છો અને…
નર્કના દરવાજા’ નું ખુલશે રહસ્ય! આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક હવે પ્રવાસીઓને મળશે ફરવાનો મોકો દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેની નજીક જવાથી પણ લોકો ડરે છે. આવી જ એક જગ્યા તુર્કીમાં પણ છે. આ જગ્યાને ‘ગેટવે ટુ હેલ’ પણ કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. આ જગ્યા વિશે એવું કહેવાય છે કે જે કોઈ પણ આ જગ્યાએ જાય છે તે ક્યારેય પાછો નથી આવ્યો. હવે લોકોને આ નરકનો દરવાજો જોવાનો મોકો મળશે. તુર્કીના પશ્ચિમી પ્રાંતના ડેનિઝલીમાં સ્થિત આ દરવાજો 21 જૂનના રોજ પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો હતો. એક…
મહારાષ્ટ્રમાં તાંત્રિકે ચામાં ઝેર આપીને 9 લોકોની હત્યા કરી ગુપ્ત ધન કાઢવા તાંત્રિકને રૂ.1 કરોડ આપ્યા હતા જમીનમાંથી ધન ન મળતાં બંને ભાઈએ તાંત્રિક પર પૈસા પરત કરવાનું દબાણ શરૂ કર્યું હતું મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 20 જૂને થયેલા 9 લોકોનાં મૃત્યુના મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલો સામૂહિક હત્યાકાંડનો બની ગયો છે. ઘટસ્ફોટ પહેલાં આ મામલાને આત્મહત્યાનો મામલો માનવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એ વાત બહાર આવી છે કે બે ભાઈના પરિવારને એક તાંત્રિક અને તેના જ ડ્રાઈવરે ઝેર આપીને મારી નાખ્યો હતો. હાલ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 20 જૂને મ્હૈસલ ગામમાં બંને ભાઈનાં ઘરોમાંથી…
1 જુલાઈએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધનો નિયમ લાગુ પડશે કપ, ગ્લાસ, ચમચી અને સ્ટ્રો જેવી ચીજો નહીં વાપરી શકાય કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ચીજવસ્તુઓ પ્રતિબંધિત થઈ રહી છે. પર્યાવરણીય મંત્રાલયે મંગળવારે આ સંબંધિત નોટિફિકેશન બહાર પાડી દીધું છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી કપ, ગ્લાસ, ચમચી અને સ્ટ્રો જેવી ચીજો પર પ્રતિબંધ આવી શકે અને તેથી તેને નહીં વાપરી શકાય. પ્રતિબંધિત વસ્તૂઓમાં એવી ચીજો સામેલ છે જેનો ઓછો ઉપયોગ થાય છે અને કચરો વધારે ફેલાવે છે. પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1…
ભારતીય યુવા બ્રિગેડ પાસે 2-0થી સિરીઝ જીતવાની તક ઉમરાનના પ્રદર્શન પર ફેન્સની નજર બીજી મેચમાં વરસાદ વિલન બની શકે વરસાદના વિઘ્ન વચ્ચે પહેલી T20Iમાં યજમાન આયર્લેન્ડને સાત-વિકેટના માર્જિનથી હરાવ્યા પછી, હાર્દિક પંડ્યા એન્ડ ટીમ બીજી અને અંતિમ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જે 28 જૂન, 2022ના દિવસે મંગળવારે ડબલિનમાં રમાશે. આ મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમ પાસે 2-0થી આયરલેન્ડનો વ્હાઇટવોશ કરવાની તક રહેલી છે. વળી તાજેતરમાં સમાપ્ત થયેલી દક્ષિણ આફ્રિકાની શ્રેણી 2-2 (5)થી ડ્રો થવાની સાથે, મેન ઇન બ્લુને આયરલેન્ડને ઘરઆંગણે હરાવવાની આશા રહેલી હશે. પહેલી મેચની વાત કરીએ તો રવિવારે ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ ડબલિન…
એકનાથ શિંદે હોટલ બહાર પત્રકારો સાથે વાત કરી ટૂંક સમયમાં મુંબઈ ફરશે પાછા શિવસેનાને અમે આગળ લઈ જઈશું-શિંદે શિવસેનાના બળવાખોર નેતા એકનાખ શિંદેએ આજે કહ્યું કે, તેઓ મુંબઈ જશે અને બાલાસાહેબ ઠાકરેની વિરાસતને આગળ લઈ જશે. શિંદેએ ગુવાહટીની એક હોટલ બહારથી મીડિયાને જણાવ્યું હતું કે, મારી સાથે 50 લોકો છે. તે પોતાની મરજીથી અને હિન્દુત્વને આગળ લઈ જવા માગે છે. અમે ટૂંક સમયમાં મુંબઈ જવા રવાના થઈશું. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશમાં શિંદે જૂથને અયોગ્ય ઠેરવતી નોટિસ પર જવાબ દાખલ કરવા માટે 12 જૂલાઈ સુધીનો સમય આપી દીધો છે. એકનાથ શિંદેએ કહ્યું કે, અમે લોકો શિવસેનાને…
રથયાત્રા પહેલા પોલીસનું મેગા રિહર્સલ અર્ધલશ્કરી દળ, SRP, RAFનું રિહર્સલ 25 હજાર જવાનો જોડાયા ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. 1લી જુલાઇએ નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તને લઇને પોલીસ દ્વારા મેગા રિહર્સલ કરવામાં આવ્યું. સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસની ટીમ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. આ મેગા રિહર્સલમાં 25 હજાર જવાનો જોડાયા હતા. મહત્વનું છે કે રથયાત્રાના રૂટમાં સંવેદનશીલ વિસ્તારો પણ છે જ્યાં ખાસ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે આજે મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના દિવસે કાયદો…

