What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
10 જુલાઈથી ચમકી ઉઠશે આ લોકોની કિસ્મત દેવપોઢી એકાદશીથી શરૂ થશે ચાતુર્માસ ચાર મહિના આ લોકોને થશે બમ્પર ફાયદ હિંદુ ધર્મમાં ચાતુર્માસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે ચાતુર્માસ 10મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન કરે છે. જેના કારણે આ ચાર મહિનામાં કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. આ ચાર મહિના પૂજાની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ 4 મહિના આ 3 રાશિના લોકોને ખાસ લાભ થવાનો છે. આવો જાણીએ તેના વિશે. મેષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે ચાતુર્માસ લાભદાયક રહેશે. આ…
Teslaને ટક્કર આપવા જઈ રહી છે આ Volkswagen ની નવી ઇલેક્ટ્રીક કાર કંપનીએ કરી નવી કારની જાહેરાત જાણો કેવા છે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ Volkswagenએ તેની આગામી નવી ઇલેક્ટ્રિક કારનું અનાવરણ કર્યું છે. આ એકદમ નવું ફોક્સવેગન ID. Aero છે. કંપનીએ ચીનમાં ઇલેક્ટ્રિક સેડાનનું વર્લ્ડ પ્રીમિયર કર્યું છે. તે જર્મન કાર નિર્માતાની ગ્લોબલ પોર્ટફોલિયોમાં શામેલ એક પ્રમુખ કાર હશે. ફોક્સવેગનનું કહેવું છે કે તેની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સેડાન પ્રીમિયમ મિડ-સાઇઝ સેગમેન્ટમાં હશે. આ ઉપરાંત, ચીનમાં ID.Aeroનું ઉત્પાદન 2023ના બીજા ભાગમાં શરૂ થઈ શકે છે. Volkswagen 2023 માં યુરોપિયન શ્રેણીના વેરિઅન્ટનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ધીરે ધીરે,…
ઉદયપુરમાં થયેલી નિર્મમ હત્યાનો મામલો બંને આરોપીઓના પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા કરાંચીમાં લીધી હતી ટ્રેનિંગ, 8 મોબાઈલ નંબરથી સતત સંપર્ક થતો રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ટેલરની હત્યા બાદ DGP એમએસ લાઠરે પ્રેસ કોન્ફ્રેંસ કરતા જણાવ્યું હતું કે, ઉદયપુર હત્યાકાંડ મામલામાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. જેમાં આરોપી ગોસ મહોમ્મદે વર્ષ 2014-15માં પાકિસ્તાનમાં 45 દિવસની ટ્રેનિંગ લીધી હતી. જ્યાં 8 મોબાઈલ નંબરોથી પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતા. તેની સાથે જ આરોપી ગોસ મહોમ્મદ અરબ દેશો અને નેપાળમાંથી રહીને આવ્યો હતો. આરોપી સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યો હતો. જો કે, એક દરજીની નિર્મમ હત્યા મામલામાં આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA અંતર્ગત મામલો નોંધાવામાં…
CM ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ કોવિડના લક્ષણ જણાયા બાદ કરાવ્યો હતો ટેસ્ટ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રખાયા ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી લોકોને મળતા હોય છે પણ કાલનો આ કાર્યક્રમ તેમજ આજની કેબિનેટ બેઠક બંને રદ્દ કરવામા આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ગઈકાલે રાત્રે જ ભૂપેન્દ્ર પટેલને…
ચોમાસામાં ફરવા જાઓ તો આટલી વાતનું રાખો ખાસ ધ્યાન આટલી ટિપ્સ ફોલો કરશો તો નહીં પડે હાલાકી રોકવાથી લઈ ખોરાક સુધીનું આવું કરો પ્લાનિંગ ચોમાસું આવવાનું છે અને તેની સાથે જ લોકો વરસાદની મજા માણવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. વરસાદના દિવસોમાં કુદરતી સૌંદર્ય જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો પર્વતો પર જવા માંગે છે. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના દિવસોમાં પહાડો પરનો ખતરો ઓછો થતો નથી. આવી સ્થિતિમાં, જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખો. 1. સમજદારીપૂર્વક સ્થળ રોકાણ હિલ સ્ટેશનને હંમેશા વેકેશન…
ઓક્ટોબર 2022થી આ નિર્ણયનો અમલ થશે રિફાઈનરીઓ દેશમાં કોઈને પણ ક્રૂડ વેચી શકશે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. સરકારે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો. આ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે હવે ઓઈલ શોધતી અને ઉત્પાદિત કરતી કંપનીઓ દેશમાં કોઈ વ્યક્તિ કે ખાનગી અને સરકારી કંપનીઓને તેમનું ક્રૂડ વેચી શકશે જોકે તેઓ તેમના દ્વારા ઉત્પાદિત ક્રૂડ વિદેશ નહીં મોકલી શકે. ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ…
આ બ્રાન્ડના સ્માર્ટફોનની કિંમત છે લાખોમાં આ ફોન સામે તો APPLEનું તો અહી કાય ના આવે સોના અને ટાઈટેનિયમ જેવી ધાતુઓનો થાય છે સમાવેશ શું તમે એવો ફોન જોયો છે કે જેમાં સોના અને ટાઈટેનિયમ જેવી ધાતુઓ હોય. એક બ્રાન્ડ એવો ફોન બનાવે છે, જેના માટે તમારે લાખો રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. આવો જાણીએ આ બ્રાન્ડના સૌથી સસ્તા ફોનની કિંમત. શું તમને પણ લાગે છે કે આજકાલ સ્માર્ટફોન કંટાળાજનક બની રહ્યા છે? ઈનોવેશનના નામે ડિઝાઈનમાં કંઈ નવું જોવામાં આવી રહ્યું નથી, અથવા જે થઈ રહ્યું છે તેમાં કંઈ ખાસ નથી? એવું ઘણા લોકો વિચારે છે. જો તમે…
વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન વેલનાથ ગ્રૂપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકોટમાં વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વેલનાથ ગ્રુપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો છે. અષાઢી બીજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એકમત થઈ ગયા છે. એકબીજા સામેના વિવાદથી સતત ચર્ચામાં રહેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા જાફરાબાદમાં એક મંચ પર જોવા…
કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે ગાંધીનગરના રૂપાલ તેમજ અમદાવાદના મોડાસરમાં જનસભા રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવશે. તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. રથયાત્રાના દિવસે 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયીની માતાના મંદિર ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રીની રજત તુલા થશે. • કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે • રથયાત્રાના દિવસે સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે •…
બાદ ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા પીરસાયા પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા વસ્ત્ર દાન કરાયુ પીળા કલરની ધજા ચઢાવવામાં આવશે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજાવિધિ કરી હતી. ગર્ભગૃહના કપાટ ખૂલતાની સાથે જ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભકતોએ ભગવાનના દર્શન કર્યા હતા.ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારી…

