Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઇ-મેમો બંધ કરવા MLA ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રીને જાણ કરી રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને શહેરીજનોમાં ભારે રોષ રાજકોટમાં કુલ વાહનો કરતા બમણાથી વધુ કેસો નોંધાયા: ગોવિંદ પટેલ રાજકોટમાં કુલ વાહનો કરતાં બમણાથી વધુ ઈ-મેમોના કેસ સામે આવ્યા છે. જેને લઇને ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈ-મેમો બંધ કરવા રજૂઆત કરી છે. MLA ગોવિંદ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, ‘રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 5 વર્ષમાં રૂપિયા 180 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી લોકો પીસાઈ રહ્યાં છે.’ વધુમાં તેમણે રજૂઆત કરી કે, ‘રાજકોટમાં અત્યાર સુધી 24.30 લાખ નાગરિકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.…

Read More

શરદ પવાર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો કરશે સામનો મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું શિવસેના નેતા એકાનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સંકટ પેદા થયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ગઈકાલે NCP નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરનું રાજીનામું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાને બદલે વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરશે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી…

Read More

અયોધ્યાની દહી જલેબી છે વર્લ્ડ ફેમસ ભક્તો અહિ આવી રામલ્લાના દર્શન સાથે દહી જલેબીનો માણે છે ટેસ્ટ 70 વર્ષથી અહી વેચાય છે દહી જલેબી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ભગવાન રામના દર્શન કરવા માટે દૂર-દૂરથી તમામ ભક્તો અયોધ્યા આવે છે. તે જ સમયે, રામ નગરીનો સ્વાદ પણ લોકોમાં ખૂબ ચર્ચામાં છે. આ જ કારણ છે કે જ્યારે ભક્તો અથવા પ્રવાસીઓ અયોધ્યા આવે છે, ત્યારે તેઓ અહીં દહીં જલેબીનો સ્વાદ લેવાથી પોતાને રોકી શકતા નથી. વાસ્તવમાં અયોધ્યાની દહીં જલેબીને ભક્તો માટે શ્રેષ્ઠ ભોજન માનવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ તુલસી…

Read More

2002 રમખાણોને લઈને બોલ્યા કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ SCના ચુકાદાથી સાબિત થાય છે PM પર ખોટા આરોપો લગાવાયા-શાહ PM મોદી ચૂપચાપ આરોપ સહન કરતા રહ્યા-શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ શનિવારે ન્યૂઝ એજન્સી એનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પોતાની પ્રતિક્રિઆપતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, 2002 રમખાણોને લઈને ખૂબ મોટા સ્તરે PM મોદી પર આરોપો લગાવાયા હતો અને ખૂબ પ્રચાર કરાયો હતો. 18-19 વર્ષની લડાઈ, દેશના આવા મહાન નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરની જેમ ઝેરની ગળામાં લઈને તમામ દુ:ખો સામે…

Read More

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નવો સિલેબસ સામે આવ્યો CBSEનો પાઠ્યક્રમ બદલાયો ધોરણ 9થી 12માં આટલા પાઠ હટાવી દીધા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક સત્ર 2022-23ના નવમાંથી 12 ધોરણ સુધીના પાઠ્યક્રમમાંથી કેટલાય ચેપ્ટર હટાવી દીધા છે. આ સત્ર માટે સીબીએસઈની વેબસાઈટ પર નવો અભ્યાસક્રમ અપલોડ કરી દીધો છે. નવામાં કાવ્યખંડમાંથી ચંદ્રકાંત દેવતાલેનો પાઠ યમરાજ કી દિશા અને ગદ્ય ખંડમાંથી હજારી પ્રસાદ દ્વિવેદીનો પાઠ એક કુત્તા ઔર એક મેના તથા વિદ્યાસગર નૌટિયાલનો માટી પાઠ હટાવી દીધો છે. અગિયારમાં ધોરણમાં ઈતિહાસની બુકમાંથી ઈસ્લામનો ઉદય અને બારમા ધોરણમાંથી મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. સીબીએસઈએ નિશ્ચિત માપદંડ અનુસાર, દશમાં ધોરણમાંથી રાજનીતિ…

Read More

રસીકરણના કારણે 2021માં ભારતના 42 લાખથી વધુ જીવ બચાવ્યા બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના અભ્યાસનું તારણ આવ્યું સામે સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું એ પ્રમાણે કોરોનાની વેક્સિને શરૃઆતના એક વર્ષમાં બે કરોડ કરતાં વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. ભારતમાં વેક્સિનેશનના કારણે ૪૨ લાખ લોકોને કોરોના સામે સુરક્ષા મળી હતી. લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન થયું હોત તો લાખોનો જીવ બચાવી શકાયો હોત. બ્રિટિશ ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ કોરોના વેક્સિનના ડેટાનો અભ્યાસ કર્યો હતો. ૧૮૫ દેશોના ડેટા તપાસીને સંશોધકોએ દાવો કર્યો હતો કે જો નિર્ધારિત લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશનમાં…

Read More

ભાડા પટ્ટે ઓફિસની માગ 3 ગણી વધી આ માંગમાં બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ ટોચ પર 7 શહેરોમાં મેમાં 6.1 મિલિયન ચોરસફૂટ ઓફિસ ભાડાપટ્ટે લેવાઈ દેશમાં વર્ક ફ્રોમ ઓફિસ ટ્રેન્ડ ફરી શરૂ થતાં ઓફિસની માગ વધી છે. દેશના સાત શહેરોમાં ગત મહિને 6.1 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી. ભાડેપટ્ટે ઓફિસની માગ ત્રણ ગણી વધી છે. ઓફિસ માર્કેટ લિઝિંગ ગતિવિધિઓમાં તમામ પ્રકારના ઓફિસ બિલ્ડિંગ ગ્રેડ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. મે, 2021માં 2.2 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી. જેએલએલના ચીફ ઈકોનોમિસ્ટ અને હેડ ઓફ રિસર્ચ સમાંતક દાસે જણાવ્યુ હતુ કે, ઓફિસ માર્કેટમાં તેજી જોવા મળી છે. કુલ બજાર…

Read More

રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ,ગાંધીનગર,વડોદરાવાસીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે…

Read More

એકનાથ શિંદેના આક્રમક વલણથી શિવ સૈનિકોમાં ભારે રોષ ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ થઇ સતર્ક સોશિયલ મીડિયા પર રખાઇ રહી છે બાજ નજર મહારાષ્ટ્રના રાજકારણમાં થઇ રહેલી જબરી ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ છે. મુંબઇ પોલીસે રાજકીય રીતે સંવેનદનશીલ ગણાતાં સ્થળોએ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. શિવસેનાના સિનિયર નેતા એકનાથ શિંદેએ પક્ષની નેતાગીરી સામે ભારે નારાજીનું રણશિંગું ફૂંક્યું છે. પોતાના ગાઢ સાથીઓને લઇને પહેલાં ગુજરાતના સુરત અને ત્યારબાદ સુરતથી આસામના ગુવાહાટીમાં પહોંચી ગયા છે. સમય જતાં એકનાથ શિંદેના જૂથમાં નારાજ સભ્યોની સંખ્યા વધતી ગઇ.પરિણામે શિવ સેનાના ગઢમાં મોટાં ગાબડાં પડયાં. આવા રાજકીય ધરતીકંપથી મહારાષ્ટ્રની મહાવિકાસ…

Read More

શું તમને હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યા છે? તમારા ડાયટમાં આ ત્રણ વસ્તુઓનો કરો સમાવેશ શરીરમાં તમારા હાડકાને બનાવશે મજબૂત ઘણા લોકોને ઉઠતા-બેસતા વખતે હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમારા હાડકા નબળા થયા છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે. હાડકામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો વૃદ્ધ સહિત હવે જવાન લોકોએ પણ કરવો પડે છે. હાડકા માટે કેલ્શિયમ ઘણુ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની કમી થવાથી હાડકા નબળા થવા લાગે છે. તેથી તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી હાડકા અને સાંધાના દુ:ખાવાની સમસ્યાનો સામનો…

Read More