What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
યોગ દિવસની સાથે આજે છે વર્લ્ડ મ્યુઝીક ડે યુવાનોમાં સંગીતનું મહત્વ વધારવા વર્ષ 1982માં ઉજવણીની શરૂઆત કરાઈ સંગીતનો મનોરંજનથી લઈને બીમારીની સારવાર સુધી થાય છે ભારતમાં 21 june એ વિશ્વ યોગ દિવસ માટે ઘણો પ્રખ્યાત છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીતને લઈને યુવાનોમાં જાગૃતિ લાવવા માટેઆ દિવસને ખાસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે પ્રથમ વાર વર્લ્ડ મ્યુઝિક ડે વર્ષ 1982માં માનવવામાં આવ્યો હતો. જેને ફ્રાન્સના કલ્ચરલ મિનિસ્ટર જેક લાંગે આયોજિત કર્યો હતો. આ દિવસે દેશ અને દુનિયામાં સંગીત સંબંધિત અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.…
રાજ્યમાં આ વર્ષે ચોમાસુ શારૂ રહેવાની અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં 24થી 30 જૂન સુધી ધોધમાર વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમ સારો વરસાદ પડી ગયો છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારું રહેવાના અણસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી તા. 24થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સાથે આવતીકાલે 22મી જૂન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું…
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યાં ગુજરાત હાઈકોર્ટમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ ગુજરાતમાં આજે 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં છે. જ્યાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17…
જામનગરમાં ધૂમ મચાવી રહો છે ચણા ચેવડો આ વાનગી તમને જામનગર સિવાય બીજે ક્યાંય નહિ મળે લાખોટા તળાવ પાસે મહિલા બનાવે છે આ ચણા ચેવડો જામનગરનું નામ પડતા જ લોકોને કચોરી અને ત્યાંના વર્લ્ડ ફેમસ પણ યાદ આવી જાય. આમ તો જામનગરમાં અનેક ખાવાની વાનગીઓ ફેમશ છે. ખાસ કરીને જામનગરના ઘૂઘરા તો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તો જામનગરના પાનની તો શું વાત કરવી, ભાગ્યેજકોઈ ગુજરાતી હશે જેણે જામનગરની કચોરીના વખાણ નહીં સાંભળ્યા હોય ત્યારે આજે અમે તમને એક એવી ફૂડ આઈટમ વિશે જણાવવાના છીએ જે માત્ર જામનગરમાં જ મળે છે, એટલું જ નહીં સ્વાદમાં પણ તે બેસ્ટ છે. અમે…
અગ્નિપથ યોજનાનું સત્તાવાર નોટિફિકેશ જાહેર આ તારીખથી કરી શકાશે ઓનલાઈન રજીસ્ટ્રેશન જૂલાઈમાં યોજાશે ઓનલાઈન પરીક્ષા ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે અંતર્ગત ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ત્યાર બાદ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂલાઈ 2022થી થશે. આ સંબંધમાં ત્રણેય સેનાની પાંખ અંતર્ગત વાયુસેનાએ પણ ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેમાં સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે, બાદમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અગ્નિપથ યોજનામાં વાયુસેના માટે 24 જૂનથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, જે 5 જુલાઈ સુધી ચાલશે,…
11 ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. સીઆર પાટીલે વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હતું મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ખજૂરાહોકાંડ’ સર્જાયું છે. તેમજ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી.રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે…
બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઈનથી 100 ક્યુસેક પાણીનું વહન થશે. નર્મદાના પાણીને મુક્તેશ્વર ડેમમાં રાખવામાં આવશે. બનાસકાંઠાના પૂર્વ વિસ્તા તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. અને PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ…
ભારતમાં થયેલ 7.8 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાશે? વૈશ્વિક સ્તરે સર્જાયેલ અફરાતફરીની ભારતમાં અસર દેશમાંથી જીડીપીના 3.2 ટકા પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાઈ શકે છે વૈશ્વિક સ્તરે સર્જાયેલી અફરાતફરી વચ્ચે ભારતમાંથી આ વર્ષે 100 અબજ ડોલર (રૂ. 7.8 લાખ કરોડ)નું રોકાણ પાછું ખેંચાવાની શક્યતા છે. આરબીઆઈના તાજેતરના બુલેટિન કેપિટલ ફ્લો એટ રિસ્ક: ઈન્ડિયાઝ એક્સપિરિયન્સમાં વર્તમાન ક્રાઈસિસના કારણે દેશમાંથી જીડીપીના 3.2 ટકા પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાઈ શકે છે. વધુમાં પરિસ્થિતિ વણસી તો વેચવાલીનું પ્રમાણ જીડીપીના 7.7 ટકા થવાની ભીતિ છે. બજારની અસ્થિરતાના આવા સંભવિત હુમલાઓનો સામનો કરવા માટે લિક્વિડિટી રિઝર્વ્સ જાળવવાની જરૂરિયાત છે. 1990ના દાયકાથી ઉભરતા બજારની કટોકટી અને વૈશ્વિક નાણાકીય કટોકટી…
ખાલી પ્રદુષણ નહિ લાઈફસ્ટાઇલને કારણે પણ મનુષ્યની ઉમર ઘટી રહી છે ખોરાકની જેમ ઊંઘ પણ જરુરી છે; ઓછી ઊંઘ ની સ્વાસ્થ્ય પર પડે છે અસર સ્મોકિંગ છોડનાર વ્યક્તિની ઉમરમાં થાય છે વધારો અત્યારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. સાથેજ લોકોની જીવ જીવવાની શૈલી પણ બદલાઈ ગઈ છે. જેની અસર માનવ જીવન પર થવા પામી છે. ખાસ કરીને મનુષ્યની ઉમર આ બધા કારણોને લઇ 5 વર્ષ જેટલી ઘટાની ગઈ છે.તાજેતરમા જ એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ એટ ધ યુનિવર્સિટી ઓફ શિકાગોના રીપોર્ટથી બધા જ લોકો ચોંકી ગયા છે. આપણી ઉંમર ફક્ત પ્રદૂષણને કારણે જ નહીં પરંતુ લાઇફસ્ટાઇલને કારણે પણ ઘટી રહી છે.…
મોદીએ 15,000 લોકો સાથે યોગ કર્યા. યોગી આદિત્યનાથે યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે.પી. નડ્ડાએ નોઈડા સેક્ટર 26માં એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા હતા અને ત્યાં તેમણે હાજર લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા. આ અવસરે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે જીવનમાં યોગનાં મહત્વ વિશે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે તંદુરસ્ત શરીર માટે યોગ ખૂબ જ જરૂરી છે. PM મોદીએ જણાવ્યું કે આજે વિશ્વના ખૂણે ખૂણેથી યોગની ગુંજ સંભળાઈ રહી છે. PM મોદીએ એ પણ કહ્યું હતું કે આપણે ગમે તેટલા તણાવપૂર્ણ હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન…

