Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

 જેઠ મહિનાના વદ પક્ષની નોમ તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આર્દ્રા નક્ષત્રના દેવતા રૂદ્ર છે નક્ષત્રમાં જાનવરો સાથે જોડાયેલાં કામ કરવામાં આવે છે  જેઠ મહિનાના વદ પક્ષની નોમ તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સૂર્ય 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. બુધની રાશિમાં સૂર્ય હોવાથી અને બુધવારે જ નક્ષત્ર બદલાવાથી આ વખતે વરસાદ ખેડૂત અને ખેતીને લગતા વેપાર કરનારા લોકો માટે સમય સારો રહેશે. ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્ય અર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી રજસ્વલા હોય છે. એટલે કે, આ સમય બીજ વાવવા માટેનો યોગ્ય સમય ગણાય  છે. આર્દ્રા નક્ષત્રના દેવતા રૂદ્ર છે. જેને તોફાન…

Read More

છત્તીસગઢમાં ઘડિયાળો જમણેથી ડાબે ચાલે છે ગોંડ આદિવાસી સમુદાય ઘડિયાળને  વિરુદ્ધ દિશામાં ઉપયોગ કરે છે. 29 સમુદાયના લોકો પણ ગોંડવાના ઘડિયાળને અનુસરે છે. દુનિયામાં ચાલતી તમામ ઘડિયાળોની દિશા ડાબેથી જમણે હોય છે. બાર વાગ્યા પછી એક, પછી બે અને પછી ત્રણ. પરંતુ ભારતના છત્તીસગઢમાં એક એવું ગામ છે જ્યાં ઘડિયાળો જમણેથી ડાબે ચાલે છે. આ ગામમાં જ્યારથી ઘડિયાળ આવી છે ત્યારથી તમામ ઘડિયાળો એ જ રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે. આ જગ્યા પર ગોંડ આદિવાસી સમુદાય છે જે છત્તીસગઢના કોરબા પાસે આદિવાસી શક્તિપીઠ સાથે સંકળાયેલો છે. તેઓ હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉપયોગ કરે છે. ઘડિયાળના કાંટાના ઉપયોગ અંગે આદિવાસીઓએ…

Read More

રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે. ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે.  તેમાં રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી છે.સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જયારે ગત સાલે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ  ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી.…

Read More

30 જૂને લોન્ચ થશે મારુતિ બ્રેઝાનું નવું મોડલ નવા મોડલમાં આવશે 6 એરબેગ અને હાઇબ્રિડ એન્જિન જાણો શું ખાસિયતો છે આ નવા મોડલમાં મારુતિ સુઝુકીએ આજ રોજ પોતાની કોમ્પેક્ટ SUV બ્રેઝાના આગામી નવા વર્ઝનનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 11,000 રૂપિયાની ચુકવણી કરીને કંપનીના કોઈપણ એરેના શોરૂમ અથવા તેની વેબસાઇટ પરથી નવી બ્રેઝા બુક કરાવી શકે છે. નવી બ્રેઝા ઇલેક્ટ્રિક સનરૂફ જેવા ફીચર સાથે નવા યુગની ટેકનોલોજી અને કનેક્ટેડ ફીચર સાથે લોન્ચ થશે. નવી મારુતિ બ્રેઝા લોકપ્રિય વિટારા બ્રેઝા કોમ્પેક્ટ SUVનું સ્થાન લેશે, જે વર્ષ 2016માં બજારમાં આવી હતી. નવી બ્રેઝા કંપની તેના નામમાંથી “વિટારા” પ્રિફિક્સને દૂર કરશે.…

Read More

હવામાં અધવચ્ચે જ આ કેબલ કાર ફસાઈ હતી ફસાયેલા તમામ લોકો ટૂરિસ્ટ છે. ટેક્નિકલ ખામીના કારણે કેબલ કાર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગઈ હતી હિમાચલ પ્રદેશમાં  સોલન જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ટ્રીબર ટ્રેલ રોપવેમાં  કેબલ કારમાં આઠ લોકો ફસાયા હતા જેમાં  હવામાં અધવચ્ચે જ આ કેબલ કાર ફસાઈ હતી. કેબલ કારમાં ફસાયેલા આ લોકોને રેસ્ક્યૂ ઓપરેશન  કરી  બચાવી લેવાની કામગીરી હાથધરાઈ છે. ફસાયેલા તમામ લોકો ટૂરિસ્ટ છે. મળતી માહિતી પ્રમાણે સોલનના કોંગ્રેસના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે કહ્યું છે કે ડીસી સાથે વાતચીત કરવામાં આવી છે. શાંડિલે કહ્યું કે ટૂંક સમયમાં જ બધાને બહાર કાઢવામાં આવશે અને…

Read More

અગ્નિપથ વિવાદની વચ્ચે પીએમ મોદીનું પહેલું નિવેદન કહ્યું યુવાનો માટે ડિફેન્સ સેક્ટર ખોલી નાખ્યું આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે અને આગચંપી પણ જોવા મળી છે. આ દરમિયાન બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું નામ લીધા વગર યુવાઓને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા છે. મોદીએ કહ્યું કે સુધારાનો માર્ગ આપણને ફક્ત નવા લક્ષ્યો તરફ દોરી શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને…

Read More

ટ્રાવેલર બનવું છે તો આ વાતનું રાખો ખાસ ધ્યાન આટલી વસ્તુનું ધ્યાન રાખવાથી ચોક્કસ થશે ફાયદો પેકિંગથી લઈ ટિકિટ સૂધિનું કરો પ્લાનિંગ નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી અને નવા લોકોને મળવું અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું. મોટા ભાગના લોકોના મનમાં આવી કંઇક ઇચ્છા તો દબાયેલી જ હશે. ઘણાં લોકો શોખ માટે ફરવાનું પસંદ કરે છે તો ઘણાં લોક કામ અને દરરોજની ભાગદોડમાંથી શાંતિ લેવા માટે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે પણ પહેલીવાર એકલા અથવા મિત્રો સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટ્રાવેલર બનવાનું નક્કી કર્યું છે? તો પ્રવાસનું આયોજન કરતા પહેલા એવી…

Read More

મૃત્યુ પછી યુઝર્સના ફેસબુક, વ્હોટ્સએપ અને અન્ય એકાઉન્ટ્સનું શું થાય છે? ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકાઉન્ટ ડિલીટ કરવાની આપે છે સુવિધા તો ઘણા એકાઉન્ટ ઓટોમેટિક થાય છે ડીએક્ટિવેટ શું તમને ક્યારેય એવો ખ્યાલ આવ્યો છે કે, કોઈપણ સોશિયલ મીડિયા યુઝ કરતો કોઈપણ વ્યક્તિ પ્રાકૃતિક કે આકસ્મિક રીતે મૃત્યુ પામે તો પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે? આવા એકાઉન્ટ્સ માટે ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ, વ્હોટ્સએપ અને અન્ય ટેક કંપનીઓની નીતિઓ શું છે તે અહીં જાણીએ. ફેસબુક ફેસબુક યુઝરના મૃત્યુ પછી તેમના એકાઉન્ટ્સને મેનેજ કરવા માટે ઘણાં બધા વિકલ્પો આપે છે. એક સ્પષ્ટ વિકલ્પ એ છે કે, એકાઉન્ટને કાયમી ધોરણે…

Read More

ઓલરાઉન્ડરની સમસ્યાનો અંત આવ્યો ઓપનિંગ-ફાસ્ટ બોલિંગ બેકઅપ તૈયાર જાણો ભારતને આ શ્રેણીમાંથી શું મળ્યું   ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝ પૂરી થઈ ગઈ છે. આ શ્રેણીની પ્રથમ બે મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી જ્યારે છેલ્લી બે મેચ ભારતે જીતી હતી. છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને શ્રેણી બે-બેથી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારત પાસે છેલ્લી મેચ જીતીને પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતવાની તક હતી, પરંતુ વરસાદને કારણે તે થઈ શક્યું નહીં. ટીમ ઈન્ડિયા ભલે આ સિરીઝ જીતી ન શકી હોય, પરંતુ ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ આ સિરીઝ મહત્વપૂર્ણ હતી…

Read More

અગ્નિપથ વિરુદ્ધ ભારત બધને પગલે 500 ટ્રેન રદ કરાઇ બિહાર, યુપી, ઝારખંડ સહિતના રાજ્યોમાં શાળાઓને બંધ કરવાના આદેશ દિલ્હી-નોઇડા-ગુરુગ્રામમાં કલાકો સુધી જામ   સેનાની અગ્નિપથ યોજનાનો ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેના પગલે રેલવેએ RPF અને GRPને એલર્ટ મોડ પર રાખી છે. આ સિવાય ઉપદ્રવીઓ પર ગંભીર કલમ અંતર્ગત કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. સોમવારે સવારથી દિલ્હી-નોઈડા-દિલ્હી ફ્લાઈવે, મેરઠ એક્સપ્રેસ, આનંદ વિહાર, સરાય કાલે ખા, પ્રગતિ મેદાન અને દિલ્હીના અન્ય ભાગમાં ભારે ટ્રાફિક જામ છે. બીજી તરફ કોંગ્રેસના દેખાવકારોએ દિલ્હી શિવાજી બ્રિજ સ્ટેશન પર ટ્રેનને રોકી છે. પછીથી પોલીસે ટ્રેનને…

Read More