Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગ્રહોના રાજા સૂર્યનું મિથુન રાશિમાં કર્યું ગોચર આ રાશિના જાતકો પર થઇ શકે છે ખરાબ અસર સૂર્યનું રાશિ પરિવર્તન ઘણા રાશિ માટે લાભદાઈ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિના જાતકોના જીવન પર પડે છે. હાલમાં જ 15 જૂને સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. તેના શુભ અને અશુભ પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળી શકે છે. આજે આપણે જાણીશું કે સૂર્યના આ સંક્રમણ દરમિયાન કઈ રાશિના લોકોને ધ્યાનથી ચાલવાની જરૂર છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે, તેથી મિથુન રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોએ એક મહિના સુધી સાવધાની રાખવી પડશે. મેષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના…

Read More

વાહનોમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવી પણ ફરજિયાત બનાવી છે આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. Tata Nexon 5 સ્ટાર રેટિંગ મેળવનારી પ્રથમ કાર હતી. આજની દિવસોમાં વાહનોમાં સેફ્ટી ફીચર્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે.જે માટે  સરકારે મુસાફરોની સુરક્ષા માટે કાર અને અન્ય વાહનોમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવી એ  પણ ફરજિયાત બનાવી છે. લોકોમાં સેફ્ટી અંગેની જાગૃતિને કારણે કંપનીઓ વાહનોમાં સેફ્ટી ફીચર્સ સતત વધારી રહી છે. આજે  આવા ઓછા બજેટવાળા વાહનો કે  જેને સુરક્ષા ક્રેશ ટેસ્ટિંગ કરતી આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. Tata Nexon: Tata Nexon ભારતમાં…

Read More

સરકારના વિભિન્ન વિભાગમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ પદ ખાલી હતા કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદ છે કર્મચારીઓની સંખ્યા 32 લાખથી ઓછી છે કેન્દ્રીય મંત્રી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં ડો. જિતેન્દ્ર સિંહે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સસંદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ પદ ખાલી હતા. હાલ આંકડા વધી ગયો હશે. આ ઉપરાંત એ પણ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદ છે જેમાં 31 લાખ 32 હજાર પદો પર વર્તમાનમાં કર્મચારી નિયુક્ત છે. આ રીતે 8.72 લાખ પદો પર…

Read More

દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૮૮૧ કરોડના ખર્ચે નિર્માણ થયો છે પ્લાન્ટ દેશના સૌપ્રથમ ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટ દહેજમાં કાર્યરત થયો લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂ.૫.૪૪ કરોડના…

Read More

અમરેલી પંથકમાં પડી રહ્યો છે સતત 9 દિવસથી વરસાદ સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 3 ઇંચ વરસાદ હજુ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જો કે અમદાવાદ સહિતના અમુક શહેરો આજે પણ કોરાધાકોળ રહ્યા હતા. બીજી તરફ આગાહીને પગલે સૌરાષ્ટ્રના અમરેલી-ધારી ગીર ધારીના ચલાલા, સરસીયા, અમૃતપુર, ઝર, મોરઝર, છતડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સારા વરસાદ બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71…

Read More

G20ની ઇવેન્ટ્સનું આયોજન થશે ગુજરાતમાં શરુ અનુભવ ધરાવતા અધિકારીઓને કો-ઓર્ડિનેટર અને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે G20ના દેશો વૈશ્વિક જીડીપીમાં 85 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. મુખ્ય સચિવ પંકજ કુમારની આગેવાની હેઠળના ગુજરાતના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. આ બેઠકમાં ગુજરાતની ટીમને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધીની G20 ઇવેન્ટ્સના આયોજનમાં ભારત સરકારની ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવી હતી. ત્યારબાદ  આ બેઠક  ગુજરાતમાં G20 બેઠકોનું આયોજન કરવા માટે વિદેશ મંત્રાલય અને G20 સચિવાલય વચ્ચે સંકલન સાધવા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવવાનો નિર્દેશ CS દ્વારા અપાયો હતો.રાજ્યને G20ની લીડર્સ કોન્ફરન્સ…

Read More

અહીં તળાવની અંદર આવ્યું છે ઉંધા ઝાડનું વન કઝાકિસ્તાનમાં આવ્યું છે આ ‘લેક કેન્ડી’ લોકોનું ફરવાનું સૌથી પસંદ સ્થળ છે અત્યાર સુધી તમે દુનિયાભરમાં ઘણા તળાવો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવીશું, જેની અંદર આખું જંગલ છવાયેલું છે. આ વિચિત્ર તળાવનું નામ ‘લેક કેન્ડી’ છે અને તે કઝાકિસ્તાનમાં છે. લેક કેન્ડી કઝાકિસ્તાનના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે અને તેની સુંદરતા લોકોને આશ્ચર્યચકિત કરે છે. જ્યારે તમે તળાવમાં જુઓ છો, તો તેની અંદર એક આખું જંગલ વસેલું છે અને તમને લાગશે કે પાણીમાં ઝાડ ઉગી રહ્યા છે. વાસ્તવમાં, તળાવમાં લાકડાના થાંભલા બહાર આવ્યા છે, જે…

Read More

ભારત – દ. ફરીકા વચ્ચે આવતી કાલે યોજશે મેચ અસહ્ય બફારા વચ્ચે ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ વરસાદનું વિઘ્ન નહિ આવે તો દર્શકોને જોવા મળશે ચોક્કા-છક્કા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T-20 સિરીઝની ચોથી મેચ આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેને લઇ બન્ને ટીમનું ગઈકાલે સાંજે રાજકોટમાં આગમન થયું હતું. આવતીકાલની મેચ ટર્નિંગ ગેમ હોવાના કારણે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આજે શહેરમાં અસહ્ય બફારા વચ્ચે મેચ પહેલાં બન્ને ટીમો નેટ પ્રેક્ટિસ પણ કરવાની હતી. બપોરે 1 વાગ્યે આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે સાંજે 4 વાગ્યે ભારતની…

Read More

આગામી સમયમાં સોના-ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટશે સરકારે પામ ઓઇલ, સોના અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડી જોકે ક્રૂડ પામોલિનના ભાવાં કર્યો વધારો કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, સોયા ઓઇલ, સોના અને ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. આ અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, નવી કિંમતો આજથી એટલે કે ગુરુવારથી અમલમાં આવી ગઈ છે. બીજી તરફ સરકારે ક્રૂડ પામોલિન સહિત અન્ય પામોલિન અને બ્રાસક્રેપ્સના ભાવમાં વધારો કર્યો છે. સરકાર દર 15 દિવસે તેલ, સોના અને ચાંદીની બેઝ પ્રાઈઝના ભાવમાં ફેરફાર કરે છે. બેઝ પ્રાઈસના આધારે આયાતકાર આયાત પર કેટલો ટેક્સ ભરશે તે નક્કી થાય છે. ભારત ખાદ્યતેલોનો…

Read More

બેક કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન પહોંચાડે છે  સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે કવર રબર ના હોય કે હાર્ડ પ્લાસ્ટિકના તેમાંથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. ઘણા લોકો સ્માર્ટફોનના પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તે ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન પહોંચાડે છે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન છે, પરંતુ જો તમારા…

Read More