Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

PM નરેન્દ્ર મોદી ફરીવાર આવશે ગુજરાત પ્રવાસે 28-29 જુલાઈએ ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ થયો હતો રદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે, અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ રદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અગાઉ તારીખ 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ રાજ્યમાં અવિરત મેઘમહેરના કારણે PM…

Read More

ભારતના આ 5 આશ્રમમાં રહેવા માટે એક પૈસો નહીં ખર્ચવો પડે અહી રહેવાની સાથે વિનામુલ્યે ભોજન પણ મળે છે જુદી જુદી જગ્યાએ આવેલા છે આ 5 આશ્રમો ઉનાળાની કે દીવાળીની રજાઓમાં આપણે બધા બ્રેક લઈને ફરવા જતા હોઈએ છીએ. રહેવા માટે મોંઘીદાટ હોટલોમાં રૂમ પણ બૂક કરાવીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે અનેક એવી અફલાતૂન જગ્યાઓ છે જ્યાં તમને મફતમાં આશ્રમમાં રહેવાની અને ખાવાની વ્યવસ્થા પણ મળે છે. આવો જાણીએ આવા આશ્રમ ક્યાં ક્યાં છે.. 1 ઋષિકેશ ઋષિકેશના ગીતા આશ્રમમાં એક હજાર કરતા વધુ રૂમ છે. આ આશ્રમમાં રોકાવવા માટે સારી વ્યવસ્થા છે અને સૌથી મોટી વાત એ…

Read More

ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ફરીથી વધશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને કરી આગાહી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવન ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (18 જુલાઈ) આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.…

Read More

ભારતમાં મંકિપોક્સનો ફેલાવો વધ્યો કેરળમાં નોંધાયો બીજો કેસ પહેલો કેસ પણ કેરળમાં જ નોંધાયો હતો વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકિપોક્સ વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી નવી આફત નોંતરે નહીં તો સારુ. લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. મંકિપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ફેલાય છે એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની તાતી જરુર છે.કેરળના કન્નુરમાં મંકિપોક્સનો બીજો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કન્નુરના જે શખ્સનો ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેના સેમ્પલ આજે પોઝિટીવ આવ્યાં છે. દર્દીને હાલમાં અલગ રાખીને તેની સારવાર કરાઈ રહી…

Read More

અમરેલી જિલ્લામાં આતંક મચાવનાર સિંહણ આખરે પકડાઈ અસ્થિર મગજની સિંહણે 6 લોકો પર હુમલો કર્યો હતો એક વીડિયોમાં સિંહણ દરિયા કાંઠે અવર જવર કરતી જોવા મળે છે અમરેલી જિલ્લામાં આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ છે. જો આજ રાત સુધીમાં સિંહણ પાંજરે ન પુરાઇ હોત તો જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક વિસ્તારોમાં કલમ 144ની જાહેરાત કરવાની હતી. અસ્થિર મગજની સિંહણે 6 જેટલા લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પાર્ક કરેલા વાહનોને બચકાં ભરતી હતી. અસ્થિર મગજની સિંહણના સામે આવેલા એક વીડિયોમાં તે દરિયા કાંઠે અવર જવર કરતી જોવા મળે છે. જાફરાબાદના બાબરકોટ ગામમાં અસ્થિર મગજની સિંહણે હાહાકાર મચાવ્યો હતો. 6…

Read More

રવિન્દ્ર જાડેજાએ દુનિયાના બેસ્ટ ફીલ્ડર હોવાની વાત ફરી એક વખત સાબિત કરી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જાડેજાએ એક જ ઓવરમાં બે સારા કેચ પકડ્યા હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના ક્રિકેટરો પર કરી રહ્યાં હતા આક્રમણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની અંતિમ મેચ રમાઈ છે. ફરી એક વખત ટૉસ ભારતીય કેપ્ટન રોહિત શર્માના પક્ષમાં પડ્યો. તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સીરીઝની પહેલી બંને મેચમાં પણ રોહિતે બોલિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવરમાં બે ઝટકા લાગ્યા. ત્યારબાદ મધ્યક્રમમાં કેપ્ટન જોસ બટલર ક્રીઝ પર ટકી ગયા અને અન્ય બેટર પણ તેમનો સાથ નિભાવી રહ્યાં હતા. રવિન્દ્ર જાડેજાની ગણતરી…

Read More

દેશમાં ફ્લાઈટ દુર્ઘટનાઓ વધતા સરકાર એક્શનમાં નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ યોજી હાઈ લેવલ બેઠક તમામ એરલાઈન્સને કહેવાયું, સુરક્ષાના પૂરતા પગલાં ઉઠાવો દેશમાં ખાનગી અને સરકારી એરલાઈન્સની ફ્લાઈટોમાં દુર્ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એકીસાથે ત્રણ ફ્લાઈટમાં હવામાં જ દુર્ઘટનાઓ સામે આવી હતી આથી પ્રવાસીઓમાં એક પ્રકારનો ડર ફેલાયો છે અને લોકો હવાઈ મુસાફરી કરતા ડરી રહ્યાં છે. લોકોનો આવો ડર દૂર કરવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. હાઈલેવલ બેઠકમાં ફ્લાઈટમાં સુરક્ષાનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં તમામ એરલાઈન્સને એવો આદેશ આપવામાં આવ્યો કે તેમણે સુરક્ષાના પૂરતા પગલા ભરવા પડશે. મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં એવું…

Read More

રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલમાં રોબોટ કરશે સર્જરી સર્જિકલ રોબોટ દ્વારા કરાશે કેન્સરના દર્દીઓની સર્જરી તેનાથી દેશમાં સર્જિકલ પ્રક્રિયાઓના એક નવા દોરની શરૂઆત થશે રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIR), નવી દિલ્હી ખાતે ભારતમાં જ બનેલા સર્જિકલ રોબર્ટ ‘SSI મંત્રા’ ને ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ સ્વદેશી ટેક્નિકથી ઈન્ડિયન મેઈડ ટેક સ્ટાર્ટ અપ એસએસ ઈનોવેશન્સ દ્વારા વિક્સિત કરાયેલી સર્જિકલ રોબોટ સિસ્ટમ છે. તેનાથી દેશમાં સર્જિકલ પ્રક્રિયાઓના એક નવા દોરની શરૂઆત થશે. સર્જિકલ રોબર્ટ SSI મંત્રાની ડિઝાઈન વિશ્વ વિખ્યાત રોબોટિક કાર્ડિયાક સર્જન ડો. સુધીર પી શ્રીવાસ્તવે કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ રોબોટથી દેશભરમાં લોકો માટે રોબોટિક સર્જરી…

Read More

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી જગદીપ ધનખડના નામાંકનમાં પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતા રહ્યા હતા 6 ઓગસ્ટે યોજાશે ચૂંટણી NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે સંસદ ભવનમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ સામેલ થયા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડેની ઉમેદવારી પહેલા તેમનું સમર્થન કરી રહેલા સાંસદો સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રમાં સત્તાધારી એનડીએએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને આગામી 6 ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિની ચૂુંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે.…

Read More

કોર્ટે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ અને અભિનેતા વિક્રમને નોટિસ પાઠવી પોન્નિયન સેલ્વનઃ 1’ને મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે આ ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વનઃ 1’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મથી જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન સ્ક્રીન પર કમબેક કરી રહી છે. ત્યાં જ આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર ચિયાન વિક્રમ પણ છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની તૈયારી કરી રહી છે તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. પરંતુ ફિલ્મમાં રાજા આદિત્યનો રોલ કરી રહેલા ચિયાન…

Read More