What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સંતાન સુખ મેળવવા અને દુશ્મનોને પરાજિત કરવા માટે સ્કંદ છઠ્ઠ વ્રત કરાય છે ભગવાન સ્કંદ દેવ શક્તિના અધિદેવ છે સ્કંદ કુમારઃ શક્તિના અધિદેવ અને દેવતાઓના સેનાપતિ દર મહિનામાં આવતી સુદ પક્ષની છઠ્ઠ તિથિના દિવસે સ્કંદ છઠ્ઠ વ્રત રાખવામાં આવે છે. છઠ્ઠ તિથિની શરૂઆત 4 જુલાઈ, સોમવારના રોજ એટલે આજે સાંજે 6.32 વાગ્યા પછી થશે અને આ તિથિ 5 જુલાઈએ સાંજે 7.28 સુધી રહેશે. એટલે સૂર્યોદય કાળમાં છઠ્ઠ તિથિ મંગળવારે હોવાથી આ વ્રત 5 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ વ્રત સંતાનની ઉન્નતિ અને તેમના સુખી જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે…
જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું ડુંગર પરથી વહેતા ઝરણાનો આહ્લાદક નજારો જોવા મળ્યો જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યા હતા રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારથી જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. જેને પગલે નદી, નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા તો મોટા ડેમોમાં નવા નીર આવતા ડેમના જળ વૈભવમાં વધારો થયો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. ઉપરાંત પહાડી વિસ્તારમાં ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેતા થયા હતા જેને લઇને મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદથી ચોતરફ પાણી.. પાણી…ના દ્રશ્યો…
હેડ અપ ડિસ્પ્લે ફીચર સાથે 6 એરબેગ્સ મળશે કિયા સોનેટ અને વેન્યુ સાથે ટક્કર લેશે મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને 11 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના ઓટોમેટિક ટોપ વેરિયન્ટની કિંમત 13.96 લાખ રૂપિયા છે. ન્યૂ બ્રેઝા 2022નું પ્રી-બુકિંગ પહેલાંથી જ 11,000 રૂપિયામાં ઓનલાઈન અને ડીલરશીપ બંને પર શરુ થઈ ચૂક્યું છે. નવી બ્રેઝા ઈલેક્ટ્રિક નવા જમાનાની ટેક્નોલોજી અને કનેક્ટેડ ફીચર સાથે સનરૂફ જેવી સુવિધા સાથે આવશે. મારુતિ બ્રેઝા ઘણાં હાઈટેક ફિચર્સ આપવાની તૈયારીમાં છે.…
ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ પર કોર્ટમાં હુમલો કોર્ટમાં રજૂ કરતી વખતે ભીડ થઈ બેકાબુ આરોપીઓને થપ્પડ, ગડદાપાટૂનો માર માર્યો ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે વકીલોએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા. વકીલોએ આરોપીઓના કપડા પણ ફાડી નાખ્યા છે. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા. કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હત્યારાઓના 12 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાલિબાની હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બારને કડક સુરક્ષા વચ્ચે અજમેરથી જયપુર લઈ જવામાં આવ્યા છે.…
મેક્સિકોના એક શહેરમાં મેયરે મગર સાથે કર્યા લગ્ન વાજતે ગાજતે ચુંબન સાથે સંપન્ન થયા લગ્ન પ્રાર્થના સમાન પરંપરાનો ભાગ મેક્સિકોના એક નાના શહેરમાં મેયરે મગર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પરંપરાગત સંગીત સમારોહ સાથે રંગારંગ કાર્યક્રમમાં થયા હતા. પરંપરા અનુસાર નેતા લોકોની વચ્ચે આવ્યા હતા અને ચુંબન કર્યા બાદ લગ્ન પૂરા કર્યા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર, ગુરુવારના લગ્નમાં સાન પેડ્રો હ્યુઆમેલુલાના મેયર વિક્ટર હ્યુગોએ નમીને પોતાના હોઠ નાના મગરના હોઠ પર લગાવ્યા હતા. જો કે આ દરમિયાન મગરનું મોઢું એકદમ બાંધેલું હતું જેથી તે કરડે નહીં. આ પરંપરા ઓક્સાકા રાજ્યના ચોંટલ અને હુઆવ આદિવાસી સમુદાયોની સદીઓ પહેલાની છે. તે…
મુંબઈમાં ભારે વરસાદ બન્યો આફત ઘણા રસ્તા પાણીમાં ડુબ્યા વરસાદને પગલે IMD એ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ મહારાષ્ટ્રના મુંબઈમાં સતત ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈના ઘણા સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. બુધવારથી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. બીએમસીએ કહ્યું કે શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મુંબઈમાં આજે અલગ-અવગ સ્થાને ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે મુંબઈના સાયન-બાંન્દ્રા લિંક રોડ પર પાણી ભરાયા છે. મોસમ વિભાગે 1 અને 2 જુલાઇના રોજ શહેરના કેટલાક સ્થાનો પર ભારે વરસાદની ભવિષ્યવાણી કરતા યલ્લો એલર્ટ…
ચોમાસાની મજા માણવા માંગો છો તો આ જગ્યાની કરો મુલાકાત રાજસ્થાનના આ 5 પ્રવાસન સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ વરસાદમાં વાતાવરણ ખુશનુમા બનતાં લોકો ટુર પર જવાનો પ્લાન બનાવે છે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાના આગમનની સાથે જ પર્યટન સ્થળ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. વરસાદી સિઝનના આગમન સાથે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં લોકો એવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે, જ્યાં પૂર, ભૂસ્ખલન અથવા હવામાન સંબંધિત અન્ય જોખમો ન હોય. રાજસ્થાન વરસાદમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો તમારી યાત્રાને યાદગાર બનાવશે. 1. જાલોર સ્વર્ણગિરી પર્વતોની તળેટીમાં આવેલું જાલોર ‘ગ્રેનાઈટ અને ભવ્યતાનું…
અમરાવતી હત્યાકાંડની તપાસ કરશે NIA ગૃહમંત્રી અમિત શાહે તપાસના આપ્યા નિર્દેશ અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી મહારાષ્ટ્રના અમરાવતીમાં દુકાનદારની હત્યાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલામાં નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ઉમેશની હત્યા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના વિરોધમાં કરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 21 જૂનના રોજ રાતે 10 થી સાડા દસ વાગ્યાની વચ્ચે થઈ હતી. તે સમયે ઉમેશ…
યુઝર સેફ્ટી રિપોર્ટ વોટ્સએપે જાહેર કરી દીધો વોટ્સએપે 19 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો પૉલિસી અને ગાઈડલાઈન્સ ફૉલો ના કરવાને કારણે પ્રતિબંધ લગાવ્યો ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં અનેક લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એપ દર મહિને નવા આઈટી નિયમો હેઠળ રિપોર્ટ રિલીઝ કરી તેની માહિતી આપે છે. મે મહિનાના રિપોર્ટમાં એપે જણાવ્યું છે કે તેમણે પોતાના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ એકાઉન્ટ્સ પર પ્લેટફોર્મની ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવા રિપોર્ટમાં 1 મે 2022થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે. વોટ્સએપના સ્પોકપર્સને આ મામલે જણાવ્યું,…
વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાની આ રહી આહલાદળ તસ્વીરો હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી રહી. છેલ્લા અઠવાડિયાથી ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. આ ઉપરાંત અહીં નાના અને મોટા ધોધ પણ…