What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું છે અંતર કેવી રીતે થાય છે વોટની ગણતરી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચેનો ફરક જાણો રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગષ્ટે ચૂંટણી યોજાશે. તમને જણાવી દઈએ કે દેશમાં ઉપરાષ્ટ્રપતિનો પદ પણ ખૂબ જ મહત્વનો હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે. જો કોઈપણ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ઉપરાષ્ટ્રપતિ તેમનું કામ સંભાળે છે. વરિષ્ઠતાક્રમની વાતે કર્યે તો રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિનો નંબર આવે છે. તે પ્રધાનમંત્રીથી પણ ઉપર હોય છે. કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં થોડો ફરક છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો…
NSUIના નવા પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIના 300 હોદ્દેદારોના રાજીનામાં કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પર NSUIના મહામંત્રી પાર્થ દેસાઈનો ગંભીર આરોપ કોંગ્રેસ પ્રભારીથી હાઈકમાન્ડ પણ નારાજ ગુજરાતમાં દિવસે દિવસે કોંગ્રેસની સ્થિતિ વધુ વિકટ થઈ રહી છે. પાર્ટીના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ રાજીનામું આપીને ભાજપમા ભરતી થઈ થઈ ગયાં છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બાદ પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોંગ્રસના સેંકડો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જ્યારે કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયાં છે. હવે ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIમાં ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર…
પંતે અને જાડેજાએ 239 બોલમાં 222 રનની સજેદારી બનાવી હતી પંતે 111 બોલમાં 146 રન તો જાડેજા એ 163 બોલમાં 83 રન બનાવ્યા ભારતના 320 રનના સ્કોર પર જો રૂટે છઠ્ઠી વિકેટ લીધી હતી ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટોનમાં ગઇકાલે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પહેલા દિવસની રમતનાં અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 338 થયો છે. વરસાદ બાદ પ્રથમ દિવસને અંતે 73 ઓવર્સની રમત શક્ય બની હતી જેમાં ભારતની નબળી શરૂઆત હતી. જેમાં 98 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંતની સદી અને જાડેજાની શાનદાર અર્ધી સદી જોવા મળી હતી. આ બંનેની સજેદારીએ ટીમ ઇન્ડીયાને 300 રન સુધી પંહોચાડી દીધી હતી.…
તારક મહેતા શોમાં વધુ એક કલાકારની એન્ટ્રી શોમાંથી હજુ પણ મહત્વના કલાકારો ગાયબ મેકર્સ કરાવી રહ્યા છે રી એન્ટ્રી આ દિવસોમાં મેકર્સ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નવા કલાકારોની એન્ટ્રી કરાવવામાં વ્યસ્ત છે. હાલમાં જ મેકર્સે શોમાં નટ્ટુ કાકાની એન્ટ્રી કરાવી છે. ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારથી નટુ કાકા આ શોમાં જોવા મળ્યા ન હતા. પાછલા થોડા દિવસોમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. એવામાં દર્શકો પહેલા જેવી રુચિ સાથે શો નથી જોઈ રહ્યા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ઘનશ્યામ નાયક માટે રિપ્લેસમેન્ટ શોધવાનું યોગ્ય માન્યું. જો કે શોમાં હજુ પણ ઘણા મહત્વના કલાકારો…
આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું બચાવ માટે NDRFની ટીમ પહોંચી; વરસાદથી બોરસદમાં બેનાં મોત બોરસદમાં ગુરુવારે રાત્રે છ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બે લોકોનાં મૃત્યું થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદથી 20 જેટલા પશુ પણ મૃત્યું પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારે સવારે પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ…
વરસાદની સિઝનમાં આ કપડાથી બનેલો ડ્રેસ ક્યારેય ન પહેરો વરસાદની મોસમમાં આ પ્રકારના કપડા પહેરવાથી બચવું જોઈએ ટ્રેન્ડને ફોલો કરવામાં આ ભૂલ ન કરતા સામાન્ય રીતે ગરમીથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો ચોમાસાના આગમનની રાહ જોતા હોય છે. ચોમાસાની શરૂઆત સાથે, લોકો તેમના મનપસંદ ફેશન ટ્રેન્ડને અનુસરવાનું ચૂકતા નથી. અલબત્ત, ઉનાળાથી વિપરીત, તમે વરસાદની ઋતુમાં સૂર્ય અને ગરમીની ચિંતા કર્યા વિના તમારા મનપસંદ પોશાકને કેરી કરી શકો છો. જો કે, વરસાદની મોસમમાં અમુક ફેબ્રિકના કપડાં પહેરવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. હકીકતમાં, વરસાદની મોસમમાં ભેજ અને ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે પરસેવો પણ વધે છે. આવી…
ઉદયપુર હત્યા કેસમાં મોટો ખુલાસો આવ્યો પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ આદેશમાં કહ્યું હતું કે; ‘એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય’ ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌસ અને રિયાઝ કે જેમણે કન્હૈયાની નિર્દયતાથી હત્યા કરી હતી તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ હત્યાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ કરાયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે ‘જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું’. આ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાનના પણ કેટલાક લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાના કહેવા પર હત્યારાઓએ ભારે ભરખમ ધારદાર હથિયાર બનાવ્યા હતા. જેથી કરીને…
ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ સેનિટેશન ટીમે બસને ધક્કો મારીને મહામહેનતે રેસ્ક્યૂ કરી ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું અને પાણી ભરાયું રાજકોટ જિલ્લામાં શુક્રવારે અષાઢીબીજે બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા સાથે પધરામણી કરી હતી. એ સમયે ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં મારવાડી યુનિવર્સિટીની બસ ફસાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા બસ-ડ્રાઇવરે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યહાર ખોરવાયો હતો છતાં પણ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને ધક્કો મારીને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. નોંધનીય છે કે ગોઠણડૂબ પાણી ભરાતાં પુલની બન્ને બાજુ ટ્રાફિકજામ થયો છે.…
પાંચ રાજ્યોના પાંચ અનોખા સ્વાદ બિરયાનીથી ઢોકળા સુધી છે ખૂબ ફેમસ આ 5 ફૂડ્સ આ રાજ્યોનું ગૌરવ છે એવું કહેવાય છે કે વ્યક્તિના હૃદયનો માર્ગ તેના પેટમાંથી પસાર થાય છે અને ભારત માત્ર તેની સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના ખોરાક માટે પણ પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી લોકો આપણા દેશમાં રસોઈ બનાવવાની રીત શીખવા અને ખાવાનો સ્વાદ લેવા આવે છે. અહીંના દરેક વિસ્તારનો પોતાનો અલગ સ્વાદ છે, જે ત્યાંના ભોજનમાં પ્રતિબિંબિત થાય છે. જો એક જ વાનગી કોઈપણ બે વિસ્તારમાં બનતી જોવા મળે તો પણ બંને જગ્યાએ તેને બનાવવાની રીત એકબીજાથી ઘણી અલગ છે. આજે અમે તમને દેશના પાંચ રાજ્યોના સૌથી…
પાણીમાં રાત વિતાવી દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની વચ્ચે રહેવાસીઓએ રાત વિતાવી બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી…