Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત સરકારે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને કરી કરમુક્ત મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરી આપી જાણકારી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં કર મુક્ત કરાઇ ભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને ઉજાગર કરતી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે, રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો…

Read More

નોર્થ ઈસ્ટના આ 5 સ્થળો જૂન માહિનામાં છે ફરવા લાયક કપલ્સને મોહી લેશે આ ડેસ્ટિનેશન બરફથી ઢંકાયેલા પહાડો, એકદમ ચોખ્ખા સરોવરો અને નદીઓ તથા દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા જૂન મહિનોએ વેક્સન મહિનો હોય છે, આ મહિનામાં જુદી જુદી ડેસ્ટિનેશન પર લોકો ફરવા જતાં હોય છે. ત્યારે કુદરત અને રોમાંચને માણવા ઇચ્છુક લોકો માટે નોર્થ – ઈસ્ટ ખૂબ સારો વિકલ્પ છે. એમાં પણ જૂન મહિનામાં નોર્થ – ઈસ્ટ ને એક્સપ્લોર કરવાનું પ્લાનિંગ બનાવી શકો છો. સામાન્ય રીતે ઇન્ટરનેટ પર આ જગ્યાઓ વિશે વધારે માહિતી મળતી નથી, પરંતુ આ જગ્યા એટલી સુંદર છે કે, જો તમે એકવાર આ જગ્યાઓની મુલાકાત લેશો…

Read More

બૉયકોટ કતાર એરવેઝ”નું હેઝટેગ ટ્વિટર પર ટ્રેન્ડમાં ભાજપના નેતા પર પ્રતિક્રિયાઓના સમર્થમાં આવ્યું હેઝટેગ ટ્રેન્ડ મધ્ય પૂર્વીય દેશોએ નુપુર શર્માની ટિપ્પણી પર આપી છે પ્રતિક્રિયા હવેના સમયમાં કોઈ વસ્તુનો વિરોધ ઓનલાઈન કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હેઝટેગ વોર ચાલે છે. ત્યારે ટ્વિટર પર બૉયકોટ કતાર એરવેઝ હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેઝટેગને ટ્વિટર પર ટ્રેન્ડિંગ લિસ્ટમાં લેવામાં આવ્યો છે.આ હેઝટેગ ટ્રેન્ડમાં આવવાની શરૂઆત ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી અને તેના પર મધ્ય પૂર્વીય દેશની પ્રતિક્રિયાથી શરૂ થઈ છે. હવે, ટ્વિટર પરના લોકો કહી રહ્યા છે કે હિંદુ દેવી-દેવતાઓના નગ્ન અને અશ્લીલ ફોટા દર્શાવનાર મકબૂલ ફિદા હુસૈન (એમએફ હુસૈન)ને નાગરિકતા…

Read More

• અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ • વંડા, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ • વરસાદને કારણે કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ રાજયમાં હજુ પણ વરસાદ માટે રાહ જોવીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમરેલી પંથકના વંડા, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. આકરા તાપ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીથી ભારે રાહત મળી છે. જો કે, બીજી બાજુ વરસાદના કારણે કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી…

Read More

બે મહિનાથી બંધ પાણીના બોરમાંથી અચાનક 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો છેલ્લા બે-ત્રણ દિવસથી રોજ બે-ત્રણ કલાક પાણી ઊડતાં ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયું આ દૃશ્યો જોઈ ગામલોકોમાં કુતૂહલ સર્જાયું છે. ક્યારે શું થાય તે કહેવું અઘરું છે. તમે ગમે તેટલી ટેક્નોલોજી વિકસાવો પણ કુદરત સામે તમે કશું ના કરી શકો! આવો જ એક બનાવ જુનાગઢ જિલ્લામાં બનવા પામ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં આવેલા 10 વર્ષ જૂના બોર આવેલ છે. જોકે આ બોરમાં છેલ્લા બે મહિનાથી પાણી ખૂટી જતાં બંધ થઈ ગયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલાં આ બંધ બોરમાંથી અચાનક જ પાણીનો ધોધ છૂટવા લાગતાં ખેતરમાલિક…

Read More

• ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા પર બનાવશે કૃત્રિમ સૂર્ય • ઊર્જા કટોકટીનો આવશે અંત • રેડિયોએક્ટિવ કચરામાંથી પણ છુટકારો મળશે આજના સમયમાં ટેકનૉલોજિ એકદમ આગળ નીકળી ગઈ છે. માણસની નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી દરેક વસ્તુની જરૂરીયાત પૂરી કરતી શોધ થઈ ચૂકી છે. ત્યારે હવે ફ્રાન્સમાં દક્ષિણના પર્વતીય પ્રદેશમાં વિશ્વભરમાં સાફ અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત મેળવવા માટે સૂર્યનું નિર્માણ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઐતિહાસિક કામમાં ભારત સહિત 35 દેશોના વૈજ્ઞાનિકો સામેલ થયા છે. જ્યારે આ સૂર્ય તૈયાર થશે, ત્યારે માનવ ઇતિહાસની સૌથી મોટી ઊર્જા કટોકટીનો અંત આવશે. સાથે જ જળવાયુ પરિવર્તનના વિનાશ સામે ઝઝૂમી રહેલી પૃથ્વી પણ સંકટથી મુક્ત…

Read More

રાજકોટ શહેરના લોકોની આખરે તરસ છીપાશે બેટી નદી પર બનશે ડેમ એરપોર્ટ ઓથોરિટીએ ડેમ નિર્માણ માટે એનઓસી આપી વર્ષોથી ઉનાળામાં પાણીની સમસ્યાથી પરેશાન રાજકોટ હવે પાણી માટે આત્મનિર્ભર થાય તેવી શક્યતા છે. હિરાસર પાસે આવેલી બેટી નદી પર ડેમ બનશે. એરપોર્ટ ઓથોરિટીએ ડેમ નિર્માણ માટે એનઓસી આપી છે. રાજકોટમાં પાણીની સમસ્યા હળવી બને તે માટે નવા જળ સ્ત્રોત ઉભા કરવા માટે રાજકોટથી 18 કિલોમીટર દૂર આવેલી બેટી નદી પર બંધ બાંધવામાં આવશે. બેટી નદી પર બંધ બાંધવા અંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ વોટર વર્કસ કમિટીના ચેરમેને દેવાંગ માંકડ,ઈરિગેશન વિભાગના એક્ઝિકયુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનની સાથે નદી પર સાઈટ નિરીક્ષણ પણ…

Read More

મેસ્સીએ બીજીવાર 5 ગોલ કર્યા સૌથી વધુ ગોલ કરનાર ચોથો ખેલાડી બન્યો આર્જેન્ટિનાએ ફ્રેન્ડલી મેચમાં એસ્ટોનિયાને 5-0થી હરાવ્યું આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં 5 ગોલ કર્યા. તેણે બીજીવાર એક જ મેચમાં 5 ગોલ કર્યા છે. આ અગાઉ મેસ્સીએ 2012માં ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલમાં જર્મન ક્લબ બેયર લેવરકુસેન સામે 5 ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાએ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં એસ્ટોનિયાને 5-0થી હરાવ્યું. મેસ્સીએ પ્રથમ ગોલ આઠમી મિનિટે પેનલ્ટી પર કર્યો. તે પછી 45મી, 47મી, 71મી અને 76મી મિનિટે ગોલ કર્યા. ફુલ ટાઈમ સુધી એસ્ટોનિયા તરફથી એક પણ ગોલ થયો નહીં. મેસ્સીએ 56મી વખત હેટ્રિક ગોલ કર્યા. તે સૌથી વધુ હેટ્રિક કરનાર ત્રીજો…

Read More

નડિયાદના બે સેવાભાવી ભાઈ નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન આપે છે મધ્યમવર્ગને માત્ર 50 રૂપિયામા ભરપેટ થાળી અંદાજિત ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિ:શુલ્ક ટિફિનસેવા આપે છે ખેડા જિલ્લાના વસો તાલુકા મથકે ચાલતી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન બે ટાઈમ પહોંચાડવામાં આવે છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામા ભરપેટ થાળી પીરસે છે.નડિયાદથી થોડે દૂર આવેલા વસોમાં રહેતા અને સેવાનું ધ્યેય માની સેવાના રસ્તે ચાલેલા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલના પુત્ર રાકેશ અને મિતેશ બન્ને પિતાએ બતાવેલા રસ્તા પર ચાલી સેવામાં ધૂણી…

Read More

પંજાબી સિંગર મૂસેવાલાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા રાહુલ ગાંધી કોંગ્રેસથી ચૂંટણી લડ્યો હતો મુસેવાલા આમ આદમી પાર્ટીની સરકાર સામે આકરા પ્રહાર પંજાબના માનસામાં સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ આ ઘટનાના દેશ ભરમાં પડઘા પડ્યા છે. ત્યારે ગઈ કાલે સિદ્ધુના પિતાએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે આજરોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનસા પહોંચ્ય હતા. જ્યાં તેમણે સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા ચરણસિંહ કૌર સાથે મુલાકાત કરી છે. મુસેવાલાના પરિવારજનોને મળીને રાહુલ ગાંધીએ સિંગરની હત્યા પર દુખ વ્યક્ત કર્યું હતું. 29 મેના સાંજે મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મુસેવાલાના ઘરે…

Read More