Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કંપનીનું પ્રથમ પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સિંગલ ચાર્જ પર 110 કિલોમીટરની રેન્જ આપે છે Piaggioના Ape E-City અને Mahindra Treo Passenger ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સાથે સ્પર્ધા કરશે ઑફબોર્ડ પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરીને 16A સોકેટ દ્વારા માત્ર ચાર કલાકમાં ચાર્જ થઈ શકે છે. બજારમાં, ઓમેગા સેકીનું સ્ટ્રીમ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર Piaggioના Ape E-City અને Mahindra Treo Passenger ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સાથે સ્પર્ધા કરશે. કંપનીનું પ્રથમ પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સિંગલ ચાર્જ પર 110 કિલોમીટરની રેન્જ આપે છે. તે અદ્યતન 8.5-kW ક્ષમતાની લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે, જે ઑફબોર્ડ પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરીને 16A સોકેટ દ્વારા માત્ર ચાર કલાકમાં ચાર્જ થઈ શકે છે. ઓમેગા સેસી મોબિલિટી સ્થાપક ઉદય…

Read More

અરબ સાગરની જળસપાટી વાર્ષિક 0.5થી 3 મિમીના દરે વધી રહી છે. મુંબઈમાં જમીનનું અંતર્ગોળ સરેરાશ વાર્ષિક 28.8 મિમીના દરે જોવા મળ્યું છે. સામાન્ય વરસાદમાં પણ મુંબઈનો 38 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી 10 મીટરથી નીચે લગભગ 46 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક 8.45 મિમીની ઝડપે 19 ચોરસ કિમી ડૂબી રહી છે. જયારે સરેરાશ જોઈએ તો બાકીના વિશ્વની સરખામણીએ મુંબઈના ડૂબવાની ગતિ ઓછી છે, પરંતુ દરિયાની સપાટીમાં વધારો અને સમય જતાં વધુ પડતા વરસાદને કારણે તેની અસર વધી શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે…

Read More

શાર્પ શૂટર સંતોષ જાધવની કચ્છમાંથી પુણે પોલીસે કરી ધરપકડ સિદ્ધુ મૂસેવાલાની હત્યાના રહસ્યો ઉકેલાશે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાકાંડમાં શામેલ સંદિગ્ધ શાર્પ શૂટર સંતોષ જાધવની પોલીસને તપાસ હતી, તેને પુણે ગ્રામ્ય પોલીસે દબોચી લીધો છે, પોલીસે સંતોષ જાધવના સાથી નાગનાથ સૂર્યવંશીને પણ દબોચી લીધો છે. બિશ્નોઈ ગેંગના શૂટરની કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરી છે. મળતા અહવાલ પ્રમાણે મોડી રાત્રિએ જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.પુણેના રહેવાસી સંતોષ જાધવની સામે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં પોલીસ અધિક્ષક (પુણે જિલ્લા) અભિનવ દેશમુખે…

Read More

કલકતાના આ 5 સ્થળો છે અતિ પ્રચલિત કલકતા જાઓ ત્યારે એક વખત અવશ્ય મુલાકાત કરો ધાર્મિક સહીત પુલ અને મ્યુઝીયમ પણ છે ખુબ પ્રખ્યાત કોલકાતાને આનંદનું શહેર કહેવામાં આવે છે. અહીંની દુર્ગા પૂજાથી લઈને સંદેશ અને મિષ્ટી દોઈની ચર્ચા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. આજે અમે તમને આ શહેરની તે ખાસ જગ્યાઓ વિશે જણાવીશું, જે કોલકાતાનું ગૌરવ છે. તેમની સુંદરતા માત્ર અદ્ભુત જ નથી પરંતુ તેમનો ઈતિહાસ પણ અનોખો છે. જો તમે તેની સંસ્કૃતિ અને કલા માટે પ્રખ્યાત આ શહેરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને કોલકાતાની એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં જઈને તમે ચોક્કસ આનંદનો અનુભવ…

Read More

i phone 14ના લોન્ચિંગમાં થઇ શકે છે મોડું ટ્રાન્સપોર્ટને કારણે થઇ શકે છે વિલંબ કોરોનાની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડી છે વિશ્વભરમાં લોકપ્રિય મોબાઇલ કંપની એપલની નવી આઇફોન સિરીઝ આઇફોન 14 સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સત્તાવાર રીતે લોન્ચ કરાવીની છે. પરંતુ આઈફોન પ્રેમીઓ એ વાતથી ચોંકી શકે છે કે આ સીરીઝના બે ફોનના લોન્ચમાં વિલંબ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર શિપમેન્ટમાં વિલંબને કારણે, iPhones iPhone 14 Max અને iPhone 14 Pro Maxની નવી શ્રેણીમાં વિલંબ થઈ શકે છે. જો કે, આ iPhonesના વિલંબથી અન્ય ફોનની રિલીઝ તારીખોને અસર થવાની અપેક્ષા નથી. સપ્લાય ચેઇન ઇનસાઇડર દ્વારા તાજેતરના ટ્વીટમાં જાણવા મળ્યું છે કે…

Read More

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ રાજકોટ શહેર અને પડધરી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ 24 કલાકના વિરામ બાદ ફરી મેઘમહેર થઇ રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. સમગ્ર જિલ્લામાં સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. જ્યારે પડધરી પંથકમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થયા છે. પડધરીનાં જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા…

Read More

ખેડૂતો માટે 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, ઓછા ૫૦ ટકાથી  ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે  રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું કે કહ્યું કે ખેડૂતો માટે 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અડદના 300 રૂ., કપાસમાં 375 રૂ., તલના ભાવ 523 રૂ. ગત વર્ષ કરતાં વધારી દેવામાં આવ્યા છે,જ્યારે અન્ય જાહેરાત કરતા વઘાણીએ કહ્યું કે 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, 80 રથ નક્કી કરવામા આવ્યા છે, 1 રથ દરરોજ 10 ગામનું…

Read More

મીડિયા હવે ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો દર્શાવી નહીં શકે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાને લાગુ પડશે સરકારે જણાવ્યું  સટ્ટાબાજી અને જુગાર યુવાનો અને બાળકો માટે જોખમ કેન્દ્ર સરકારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયા માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની સલાહ આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.એડવાઈઝરી અનુસાર, ઓનલાઈન સટ્ટાબાજી પરની આ જાહેરાતો આ મોટાપાયે પ્રતિબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની અસર ધરાવે છે. ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે, અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ…

Read More

રાજ્યના આરોગ્ય મંત્રીએ કોરોનાને લઇ યોજી બેઠક તાત્કાલિક એક્સન પ્લાન બનાવવા આપ્યા સૂચનો રાજ્યમાં 31મી મેથી કોરોનાના કેસોમાં વધારો થયો ગુજરાતમાં કાબુમાં આવેલો કોરોના ફરી બેકાબુ થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. વધી રહેલા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ સ્થિતિએ સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે. આગામી 18 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. વડોદરામાં તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજથી જ રાજ્યની તમામ સ્કૂલોમાં નવા સત્રનું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે.આ સ્થિતિને લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની…

Read More

ચાર વિકેટે જીત્યું દક્ષિણ આફ્રિકા પાંચ મેચોની શ્રેણીમાં 2-0 થી આગળ સતત બીજી ટી-20 મેચમાં હાર્યું ભારત કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20માં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની T20I શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. T20માં સતત 12 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે સતત બે મેચ હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી હતી. ભુવનેશ્વર કુમાર સિવાય, અન્ય તમામ બોલરો બોલિંગમાં નબળા સાબિત થયા. ભુવનેશ્વરે ચાર વિકેટ ઝડપી હતી.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 40 રન…

Read More